ગુજરાતમાં કોંગ્રેસના વળતાં પાણી શરૂ થયાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં પક્ષપલ્ટાની મોસમ ફરી એકવાર શરૂ થઇ છે. રાજ્યમાં 2002 પછી ભાજપમાં જવાનો પ્રવાહ શરૂ થયો હતો, હાલની સ્થિતિએ 120 ટોચના નેતાઓ પાર્ટી છોડી ચૂક્યાં છે.
જૂના જોગીઓ પાર્ટી છોડીને સત્તાધારી ભાજપમાં જોડાઇ રહ્યાં છે. હવે તો સિનિયર મોસ્ટ અને બે-ત્રણ દાયદાથી કોંગ્રેસમાં અડિખમ રહેલા નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યાં છે, આ સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસનો સૂરજ અસ્ત થઇ રહ્યો છે. હવે તો લોકસભામાં કોને ઉમેદવાર બનાવવા તે કોંગ્રેસ માટે અધરૂં થઇ ગયું છે, કેમ કે દાવેદારો ખુદ કોંગ્રેસ છોડીને જતા રહ્યાં છે. તાજેતરમાં ખંભાત, વિજાપુર અને પોરબંદરના ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.
2024માં જ કોંગ્રેસના 10 નેતાઓએ કોંગ્રેસને રામ-રામ કરી દીધાં છે, જેમાં સીજે ચાવડા, ચિરાગ પટેલ, ચિરાગ કાલરિયા, નારણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, ઘનશ્યામ ગઢવી, બળવંત ગઢવી, જોઇતા પટેલ, અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા નેતાઓ પણ ઘરવાપસી કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ ધીમે ધીમે ભાજપ તરફ ફંટાઇ રહ્યાં છે. વિધાનસભાની 2022ની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ 77 માંથી 17 ઉપર આવી ગઇ હતી પરંતુ ત્યારબાદ બે વર્ષમાં 14 સભ્યો રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં સિનિયર નેતાઓએ પાર્ટી છોડી દીધી છે અને હજી પણ કેટલાક નેતાઓ લાઇમાં હોય તેવો અણસાર છે. આ સ્થિતિ જોતાં રાજ્યમાં કોંગ્રેસ મુક્ત ગુજરાત નહીં પણ કોગ્રેસ યુક્ત ભાજપ્નું નિમર્ણિ થઇ રહ્યું છે. કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ નેતૃત્વનો અભાવ, સંગઠનમાં કાર્યકરો સાથે તાલમેલ નથી. રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં વિશ્વાસ રહ્યો નથી. છેલ્લા 30 વર્ષથી પાર્ટી સત્તાવંચિત છે અને હવે ભવિષ્યમાં કોઇ નવી આશા દેખાતી નથી. શહેરી ઉપરાંત હવે તો ગ્રામીણ વિસ્તારમાં પણ જનાધાર ઘટ્યો છે. નવી પેઢીને કોંગ્રેસ અંગે કંઇ ખબર નથી, કેમ કે તેમણે કોંગ્રેસની સરકાર જોઇ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઠેર ઠેર તાવ, ડેન્ગ્યુના ખાટલા રોગચાળાનો હાહાકાર
September 21, 2024 11:20 AMજામનગર ફેકટરી ઓનર્સ એસોશિયેશન સીએનસી ટેકનિકલ તાલીમ કેન્દ્ર ખાતે વિવિધ સ્પર્ધા યોજાઇ
September 21, 2024 11:16 AMજિલ્લાની ર૭ ગૌશાળા પાંજરાપોળ માટે ા. ૧.૬પ કરોડની સહાય મંજુર
September 21, 2024 11:12 AMહવે ગુજરાતમાં ટ્રેન ઉથલાવવા ષડયંત્ર
September 21, 2024 11:11 AMટેરીફ વધતાં બીએસએનએલને જ નફો, અન્ય કંપનીઓને નુકસાન
September 21, 2024 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech