જામનગર નજીક સાંઢીયા પુલ પાસે ટ્રકે ચગદી નાખતા સ્કુટરચાલકનું મોત

  • July 19, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાયપાસ તરફનો હાઇવે ફરી એકવાર રકતરંજીત : ટ્રક ટ્રેલરચાલક સામે ફરીયાદ

જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે, અને ગઈકાલે સાંઢિયા પુલ પર વધુ એક કાળમુખા ટ્રકચાલકે સ્કૂટરચાલક પરપ્રાંતીય યુવાનને ચગદી નાખતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું છે.
મૂળ રાજસ્થાનના ફતેપુરનો વતની અને હાલ જામનગરમાં ઢીચડા રોડ પર રવિ પાર્ક સોસાયટીમાં રહેતો અજીતસિંગ મોતીસિંહ શેખાવત નામનો ૨૫ વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન કે જે ગઈકાલે રાત્રે પોતાનું  એકટીવા સ્કૂટર લઈને જામનગર નજીકના સાંઢીયા પૂલ પરથી પસાર થઈ રહ્યો હતો.
 જે દરમિયાન સામેથી પુરપાટ વેગે આવી રહેલા જીજે ૧૦ ટી.એક્સ. ૭૫૧૯ નંબરના ટ્રક ટેલરના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
 આ બનાવ અંગે મૃતકના ભાઈ મુળ ઉપેન્દ્રસિંગ મોતીસિંગ શેખાવતે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application