રેષકોર્સ પાર્કમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મી અને માંડાડુંગરમાં મહિલાનું હાર્ટઅટેકથી મોત

  • February 29, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નિપજયાના બનાવ સામે આવ્યા છે. રેષકોર્ષ પાર્કમાં પ્રૌઢ અને માંડાડુંગરમાં મહિલાનું બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.

બનાવની મળતી વિગત મુજબ રેસકોર્ષ પાર્ક બ્લોક નંબર-77માં રહેતા રામજીભાઈ કાનજીભાઈ ગોહેલ (ઉ,વ.67)નામના પ્રૌઢ હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
મૃતક પીડબલ્યુડીના નિવૃત કર્મચારી હતા અને બે ભાઈમાં નાના હતા. સંતાનમાં ચાર પુત્રી એક પુત્ર છે. બનાવના પગલે પ્ર.નગર પોલીસે જરૂરી કાગળોની કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે રહેતા અમિતાબેન નિલેશભાઈ અગ્રાવત (ઉ.વ.40)નામના મહિલા સવારે ઘરે હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતા પોલીસ એ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એડવોકેટ નિલેશભાઈ અગ્રવતના પત્ની થાય છે. અને સંતાનમાં એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application