રાજકોટમાં ખાનગી સ્કૂલના શિક્ષકે વિધાર્થીને લાફા મારી કાનનો પડદો ફાડી નાખ્યો

  • April 27, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રેલવે પાટા પાસે ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી પી.વી.મોદી સ્કૂલમાં શિક્ષકે નજીવી બાબતે બે વિધાર્થીઓને મારમાર્યેા હતો જેમાં ૧૭ વર્ષના ધોરણ ૧૨ના વિધાર્થીને બે ફડાકા મારી દેતા વિધાર્થીનો કાનનો પડદો ફાટી ગયો હતો. વિધાર્થીને કાનમાં દુ:ખાવો થવા લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વિધાર્થીના પિતા દ્રારા શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


જાણવા મળતી વિગતો મુજબ, પુષ્કરધામ સોસાયટીમાં રહેતો અને ઇન્દ્રપ્રસ્થનગર પાસે પી.વી. મોદી સ્કૂલમાં ધો. ૧૨માં અભ્યાસ કરનાર કેલિસ મનોજભાઈ સુરેજા (ઉ.વ ૧૭) નામનો વિધાર્થી ગઈકાલે સ્કૂલમાં હતો ત્યારે રિસેસ સમયે તે અન્ય વિધાર્થી સાથે મજાક મશ્કરી કરતો હોય દરમિયાન શિક્ષક દીપેશે બંને વિધાર્થીને મારમાર્યેા હતો.જેમાં કેલિસને બે તમાચા મારી દીધા હતા જેથી તેને કાનમાં દુ:ખાવો થવા લાગ્યો હોય માટે તે ઘરે ચાલ્યો ગયો હતો અને માતા પિતાને આ અંગે વાત કરી હતી.


ત્યારબાદ આ વિધાર્થીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યાં તબીબે નિદાન કરતા વિધાર્થીના કાનનો પડદો ફાટી ગયો હોવાનું માલુમ પડુ હતું.વિધાર્થી એક ભાઇ એક બહેનના પરિવારમાં મોટો હોવાનું અને તેના પિતા કેબલ કનેશનના ધંધાર્થી હોવાનું માલુમ પડયું છે. નજીવી બાબતે વિધાર્થીને તમાચા ઝીંકી દેવાના શિક્ષકના આ પગલાથી વિધાર્થીના માતા–પિતા રોષે ભરાયા હતા. આ મામલે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application