રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે શારીરિક સજજતાનો કાર્યક્રમ યોજાયો

  • September 25, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ થીમ સાથે શારીરિક સજજતાનો કાર્યક્રમ યોજાયો હતો.રાણાવાવની સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓમાં યોગાસન તેમજ અંગ કસરત રોજીંદા જીવનનો ભાગ બને તે હેતુથી વિદ્યાર્થીઓને એરોબિક્સ(સામુહિક અંગ કસરત) તેમજ યોગસનની તાલીમ ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ જયન જોષી દ્વારા  આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.ઉપરાંત કોલેજના તમામ અઘ્યાપકો પણ જોડાયા હતા.આ કાર્યક્રમનો  મુળ હેતુ વિદ્યાર્થીઓ "પહેલું સુખ તે જાતે નર્યા"થી વાફેક થઈ શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે હતો. સમગ્ર કાર્યક્રમ યોગ, વ્યાયામ અને ખેલકુદ ધારાના કોર્ડીનેટર પ્રો.બી.એ.માઢક દ્વારા કોલેજના પ્રિન્સિપાલ  કે.કે. બુદ્ધભટ્ટી  તથા સપ્તધારા અધ્યક્ષ ડો.કે.પી.બાકુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.તેમ રાણાવાવની સરકારી વિનિયન કોલેજના મીડિયા સેલના કો-ઓર્ડીનેટર પ્રો.ડો.મયુર ભમ્મરે જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application