જામનગરના શંકરટેકરીમાં યુવાનના આપઘાત પ્રકરણમાં નવો વળાંક

  • October 18, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશીના ભાભીને યુવક સાથે લગ્ન કરવા હતા, પરંતુ યુવક લગ્ન કરવા તૈયાર ન થતાં આત્મહત્યા કરવા માટે મજબૂર કરાયો: યુવતિના પરીવારજનોને ખબર પડી જતાં મારી નાખવાની ધમકી આપવાથી યુવકે આપઘાત કરી લીધો


જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવકે ગત તા. ૨૮.૮ ના રોજ પોતાના સસરાના ઘરે આપઘાત કરવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.


આ બનાવની  વિગત એવી  છે કે, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ચંદ્રીકાબેનના લગ્ન ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહેતા વિજયભાઈ પ્રવિણભાઈ ચૌહાણ સાથે થયેલ હતા, અને તે તેમના પતિ સાથે કલોલ ખાતે રહેતા હતા.


દરમિયાન  તેમને ગર્ભ રહી જતાં બંને પતિ-પત્ની જામનગર રહેવા આવી ગયા અને બે દિવસ પછી તેના પતિ વિજયભાઈએ જણાવેલું કે આપણા પાડોશમાં રહેતા કેશવભાઈ કાન્તીભાઈ જાદવની ભાભી લતાબેનને મારા સાથે લગ્ન કરવા છે, પણ મારે તેની સાથે લગ્ન નથી કરવા.


તેમજ આ વાતની ખબર તેના ઘરવાળાને થઈ જતાં કેશવભાઈ મને ધમકી આપે છે કે ત્યાર બાદ તા. ૨૮.૮૪ ના રોજ વિજયભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત લીધો હતો, અને અમે ઘણા સમયથી શ્ર્વાસની બિમારીથી કંટાળી જઈ આત્મહત્યા કરી હાવાનું પોલીસ સમક્ષ નિવેદન નોંધાવેલું હતું.

પરંતુ ત્યાર બાદ હુ મારા પતિ વિજયનો ફોન ચેક કરતાં તેમા એક વિડિયો મળી આવેલો, જે વિડિયોમાં કેશવભાઈ કાંતિલાલ જાદવ અમારા પરિવારને સાફ કરી દેવાની ધમકી આપતા હતા, જેથી તેણીએ સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં કેશવભાઈએ ધમકી આપી મરવા મજબુત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૬, અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application