બનેવી સાથે પ્રેમ સંબંધ ધરાવતી સગીરાનો ઝેરી દવા પી આપઘાત

  • April 02, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.સગીરાને તેના બનેવી સાથે પ્રેમસંબધં હોય જેમાં નિષ્ફળતા મળતા લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.પ્રા વિગત મુજબ શહેરના બજરંગવાડી વિસ્તારમાં ઉગતાપોરની મેલડીમાંના મંદિર નજીક રહેતી ભારતીબેન શૈલેષભાઈ વાઘેલા નામની ૧૫ વર્ષીય સગીરાએ ઝેરી દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપયું છે. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.


સગીરાના કાકા રસિકભાઈ પાસેથી મળતી માહિતી મુજબ સગીરા ગત છ માસથી બનેવી બુધાભાઈ સાથે પ્રેમ સબંધમાં હતી અને બંનેના પ્રેમ સંબધં વિશેની જાણ બહેનના સાસરિયાં પક્ષને થતાં તેમણે સબધં સ્વીકારવાની ના કહી દીધી, બનેવી સાથે લગ્નના સ્વપન સેવેલી સગીરાને પરિવારજનોએ કરેલો સંબંધનો અસ્વીકાર હૈયે લાગી આવી આવતા તેણીએ આ પગલું ભયુ હતું. મૃતક ચાર બહેન,બે ભાઇમાં બીજા ક્રમે હતા.મૃતકના પિતા ફુગ્ગા વેચી ઘરનું ગૂજરાન ચલાવતા હતા.પરિવારમાં કલ્પાંત વ્યાપેલો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application