રાજકોટની ભાગોડી બામણબોર નજીક વીડી વિસ્તાર પાસે ૬૬ કે.વી. વીજપોલ પર એક અજાણી વ્યકિતનો મૃતદેહ લટકતો હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા મૃતદેહને નીચે ઉતાર્યેા હતો. દરમિયાન એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફે પણ અહીં પહોંચી ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે અજાણ્યા આધેડે અંદાજિત ત્રણ દિવસ પૂર્વે અહીં વીજ પોલ પર દોરી વડે ફાંસો ખાઇ લીધો હોય પણ આ વીડી વિસ્તાર હોય જેથી કોઇનું ધ્યાન ગયું ન હતું દરમિયાન આ બાબતની જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. હાલ પોલીસ દ્રારા મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આ અજાણ્યા આધેડની ઓળખ મેળવવા માટે પોલીસે તેના વાલીવારસની શોધખોળ શ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ફાયર બ્રિગેડને ગઈકાલ સમી સાંજના કોલ મળ્યો હતો કે બામણબોર પાસે વીડી વિસ્તારમાં જેટકો ની ૬૬ કેવી લાઇનના વીજ પોલ પર એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ લકટી રહ્યો છે. જેથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી રસી દ્રારા વિજપોલ પર ચડી આ મૃતદેહને નીચે ઉતાર્યેા હતો. દરમિયાન અહીં એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એ.કે. ગોસ્વામી તથા સ્ટાફ પણ પહોંચી ગયો હોય ફાયર બ્રિગેડના સ્ટાફે મૃતદેહને પોલીસને સોંપ્યો હતો. પોલીસે જરી કાર્યવાહી કરી આ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અજાણ્યા આધેડે અંદાજિત ત્રણ દિવસ પૂર્વે અહીં વીડી વિસ્તારમાં આ વીજપોલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ખૂબજ દુર્ગમ વિસ્તાર હોવાથી જે તે સમયે કોઈનું ધ્યાન પડયું ન હતું. બાદમાં અહીંથી પસાર થનાર કોઇ રાહદારીનું ધ્યાન જતા આ અંગેની જાણ થતા તુરત ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. પોલીસ દ્રારા હાલ આધેડના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહ્યું છે.આધેડની ઓળખ મેળવવા માટે પોલીસે તેના વાલીવારીસની શોધખોળ શ કરી છે.જો આધેડ અંગે કોઈ પાસે માહિતી હોય તો એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એ.કે. ગોસ્વામી મોબાઈલ નંબર ૯૦૩૩૩, ૮૩૨૦૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech