વ્યાજખોરના ત્રાસથી જામનગરના વેપારીએ ઝેર પીધું

  • August 03, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ હોસ્પીટલમાં દાખલ કરાયા : ૪ લાખના ૮ લાખ ચુકવ્યા છતા પઠાણી ઉઘરાણીનો આક્ષેપ

જામનગર જીલ્લાના નવાગામના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી રાજકોટની માધાપર ચોકડી નજીક ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, વ્યાજખોરે કોરા સ્ટેમ્પ પેપર ઉપર સહી કરાવી લીધી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ નવાગામ મુરલીધર સોસાયટીમાં રહેતા અને આર.ઓ.વોટર પ્લાન્ટનું કામ કરતા ધીરજભાઇ રમેશભાઇ પંચમતીયા (ઉ.વ.૨૮)એ માધાપર ચોકડી નજીક માકડ મરવાની દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
તેના ફોનમાથી પરિવારનો સંપર્ક કરતા સ્વજનો રાજકોટ દોડી આવ્યા હતા એ જણાવ્યુ હતું કે ધંધાના કામ માટે ધીરજભાઇએ જામનગરના શખ્સ પાસેથી ૪ લાખ વ્યાજે લીધા હતા જેના ૮ લાખ ચુકવી દીધા છે છતા વધુ ૧૫ લાખ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી આ પગલું ભર્યુ હતું તેમજ વ્યાજખોરએ કોરા સ્ટેમ્પ પેપર પણ સહી કરાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application