વાંકાનેર પાસે નિર્માણાધીન રામધામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા અંગે ધારાસભ્યની ઉપસ્િિતમાં મિટિંગ યોજાઇ

  • July 17, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વાંકાનેર ચોટીલા બાઉન્ડ્રી નજીક નિર્માણધીન રામધામ (છોટી અયોધ્યા) ખાતે ગઇકાલે સમસ્ત રઘુવંશી ભાઇઓ-બહેનો તા કાર્યકર્તાઓ સો રામધામના સ્વપ્નદ્રષ્ટા તા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના અધ્યક્ષસને મીટિંગ યોજાઇ હતી.
આ રામધામની પવિત્રભુમિ પર બિરાજમાન ચારસો વર્ષ પુરાણું ઋષિમુનિ યુગનું પુરાણુ રામેશ્ર્વર મહાદેવ મંદિરનું ર્જીણાધાર કી આશરે સવા બે કરોડના ખર્ચે નુતન મંદિર નિર્માણ પુર્ણતાના આરે હોય જેને લઇ આગામી સમયમાં આ નુતન મંદિર રામેશ્ર્વર મહાદેવની ભવ્યતિભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવી તેમજ તે જ દિવસી સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, મહારાષ્ટ્ર સમગ્ર રઘુવંશી પરિવારોની પ્રેરક ઉપસ્િિતમાં નિર્માણધીન રામધામ નિર્માણ કાર્યનો પ્રારંભ કરવા તેમજ રામધામ તમારે દ્વાર અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છના દરેક ગામોમાં સનિક રામધામ કમિટી બનાવવાના કાર્યને વેગવંતુ કરવા પાયાના કાર્યકર વિનુભાઇ કટારિયા, ગિરિશભાઇ કાનાબાર, અશ્ર્વિનભાઇ, પરેશભાઇ કાનાબાર, જગદિશભાઇ સેતા, હસુભાઇ ભગદેવ, આનંદભાઇ સેતા તા કપિલભાઇ નવાણી કમર કસી રહ્યા છે.



ત્યારે ટુંક સમયમાં અગ્રણીઓની ટીમો દરેક ગામોના મહાજન અગ્રણીઓની ‚બ‚ મુલાકાતે જવાનું આયોજન ઇ રહ્યું છે.તે જ રીતે દરેક ગામોમાં રામધામ કાર્યને વેગવંતુ કરવા મહિલાઓની એક એક કમિટી બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમા ટૂંક સમયમાં રામધામ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, પ્રતિભાબેન કટારિયા, પુનિતાબેન સોમાણી, કિંજલબેન સોમાણી, ‚પલબેન સુચક, ભાવનાબેન મીરાણી, શારદાબેન કાનાબાર સહિતના મહિલા મોરચાના અગ્રણી મહિલાઓ દરેક ગામમાં ‚બ‚ જઇ રઘુવંશી મહિલા મંડળ, સત્સંગ મંડળ, ગોપી મંડળોની જાત મુલાકાતે જશે.
મીટિંગમાં નિ:શુલ્ક સેવા આપતા આર્કીટેકટ હર્ષિતભાઇ સોમાણીએ રામધામનો પ્લાન અને નકશા રજુ કર્યા હતાં. તાજેતરમાં રામધામની ભુમી પર તૈયાર યેલ ૫૦૦ વ્યક્તિનો સમાવેશ ાય તેવો એસી હોલ, પાંચ એસી હોલ, વાસણ, ગાદલા, ખુરશી સહિતની સુવિધાવાળુ તૈયાર ઇ જતાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ રઘુવંશી સમાજના લોકો માટે લગ્ન પ્રસંગ, સપ્તાહ જેવા કાર્ય માટે ઉપયોગ કરવા ઘોષણા કરવામાં આવી હતી. આ માટે વિનુભાઇ કટારિયા મો.૯૪૨૬૯ ૧૫૧૧૧નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
મીટિંગમાં રાજકોટ વોર્ડ નં.૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી પણ તેમની ટીમ સો ઉપસ્તિ રહ્યા હતાં. તેમની ટીમે રાજકોટમાં રામધામના પ્રચાર પ્રસાર માટે સેવા આપવાની ઘોષણા કરી હતી.
આ તકે વિજયભાઇ વસાણી, પ્રવિણભાઇ ખંધડિયા, હકાભાઇ રાજા, પત્રકારો લિતેશભાઇ ચંદારાણા તા મુકેશભાઇ ખખ્ખર તા રાજભાઇ સોમાણી સહિતના બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારો ઉપસ્તિ રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application