શહેરના સદર વિસ્તારમાં આવેલા ભીલવાસ ચોક નજીક અંબિકા આર્કેડમાં સર્જિકલના સાધનો રાખતી શિવ એજન્સીની દુકાનમાં બપોરના સુમારે વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાકિદે અહીં પહોંચી એક બાદ એક ત્રણ ફાયર ફાઈટરો દ્રારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી હતી. બનાવના પગલે અડધો કલાક માટે અહીં વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો તેમજ વીજ તત્રં દ્રારા વીજ પૂરવઠો પણ અટકાવાયો હતો. આગની આ ઘટનામાં મોટાપાયે નુકસાન થયું હોવાનું માલુમ પડું છે. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી.
આગના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, ભીલવાસ ચોક નજીક આવેલા અંબિકા આર્કેડમાં સર્જિકલના સાધનો રાખતી શિવ એજન્સીની દુકાનમાં આજરોજ બપોરના સુમારે આગની ઘટના બની હતી જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાકિદે અહીં પહોંચી જઈ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય એક બાદ એક ત્રણ ફાયર ફાઈટરો દ્રારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા અને અંદાજિત એકાદ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં અહીં શિવ એજન્સી કે જેમાં સર્જિકલ સાધનો હોય તે સળગીને ખાખ થઈ ગયા હોય મોટાપાયે નુકસાન થયું હોવાનું માલુમ પડું છે જોકે નુકસાનીનો ચોક્કસ આંકડો જાણી શકાયો નહતો. તેમજ આગ કયા કારણોસર લાગી હતી તે પણ જાણી શકાયું નથી.આગની આ ઘટનાને લઈ વાહન વ્યવહાર પણ અહીં અટકાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે વીજ પૂરવઠો પણ પીજીવીસીએલના તત્રં દ્રારા બધં કરી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech