જામનગર ના એક આસામી ને રૂ.૭ લાખ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે એક વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગર ના કિશન ગીરીશભાઈ નથવાણી પાસે થી સબંધ નાં દાવે અનિલ મનસુખભાઈ વેગડા એ રૂ..૭ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપુરતા નાંણા ભંડોળ નાં કારણે પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી અનિલ વેગડા ને તકસીરવાન ઠરાવી એક વર્ષ ની કેદની સજા અને રૂ.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસ મા ફરિયાદી તરફ થી ક્રિપાલસિંહ જાડેજા રોકાયા હતા.
***
જામનગર ના આસામી ને ચેક પરત ફરવા ના કેસ માં છ માસ ની જેલ સજા
જામનગર ના એક આસામી ને રૂ.૭ લાખ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે છ માસ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કેમરોન સેલ્સ નામનું કારખાનું ચલાવતા શૈલેષ કાનજીભાઈ પટેલ પાસે થી જયદીપ રમેશભાઈ રૂપાપરાએ રૂ.૭ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયદીપ રમેશભાઈ રૂપાપરા ને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને રૂ.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
આ કેસ મા ફરિયાદી તરફ થી વકીલ બુચ એડવોકેટ માંથી ફૈઝલ ચરીયા, સુમિત પરમાર, સમીર બ્લોચ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech