કોડીનારના નવાગામે આંબાવાડીમાં સિંહણે યુવાન પર હુમલો કર્યો

  • May 18, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના નવાગામ ગામે ૫ સિંહોના ધામાી ખેડૂતોમાં દહેસત ફેલાઈ છે ત્યારે આજે વહેલી સવારે નવાગામ ખાતે તકિયા ના પા તરીકે ઓળખાતા વાડી વિસ્તાર માં આવેલ પ્રભાતસિંહ રાજપુત ના માતૃશ્રી ફાર્મ ખાતે વાડીના ઇજારદાર દિનેશભાઈ પરમાર બગીચામાં માં કેરી ઉતારવા જતી વખતે સિંહણ અચાનક દિનેશભાઈની છાતી પર બેસી હતી. દિનેશભાઈએ બહાદુરી પૂર્વક બા ભીડી હટાવી જીવ બચાવ્યો ખેડૂતની રાડારાડ સાંભળી અન્ય લોકો તેમજ વાડી માલિક બગીચામાંથી  આવી ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક કોડીનાર ખાતે સારવાર ર્એ ખસેડ્યા હતા. વન વિભાગ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્ળે પોહચી હુમલો કરેલા સિંહ પરિવારને શોધવાની અને રેસ્ક્યુ કરી જંગલમાં લઇ જવા કવાયત શ‚ કરી હતી.

ગઈ કાલે કોડીનાર ખાતે આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની કોલોની ના મંદિર પરિસરમાં સિંહ, સિંહણ અને ૩, બચ્ચાં સો સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા. જેને વનવિભાગ દ્વારા ૧૨ કલાક ની સખત જહેમત બાદ મંદિર પરિસર ને કોર્ડન કરી સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુ કામગીરી હા ધરવામાં આવી હતી ત્યારે ફરી આજ ગ્રુપ દ્વારા ૧ કી.મી આગળ નવાગામ ખાતે ફરી હુમલો કરતા વનવિભાગની જામવાળા રેન્જની ઘાટવડ,છારા અને કોડીનાર રેવન્યુ બીટના ૧૦ી વધુ વનક્રમી  દ્વારા ઘટના સ્ળની આસપાસ રીંગ બનાવી આ પાંચ સિંહ પરિવારના ગ્રુપને સલામત રીતે અહીંથી  ખસેડવાની કામગીરી હા ધરી છે જો કે અત્યારે લખાય છે ત્યાં સુધી પણ હજુ સિંહ પરિવાર પાંજરે પુરાયો ની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application