મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગીર સોમનાથના મહેમાન બન્યા

  • March 04, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેેશી પક્ષિઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠે આવી પહોંચ્યા..ખાસ કરી ને સોડવ અને બરડા બંધારો પક્ષિઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષિઓ આવી પહોંચ્યા છે..અંદાજે ૪૦ પ્રજાતિ ના પક્ષિઓ આવી પહોંચતા ગીર સોમનાથ ના પક્ષિ પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે સાઈબરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિત ના દેશો માં થી અહી ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે.
​​​​​​​
દર વર્ષે વિદેશ થી આવતા યાયાવર પક્ષિઓ ની અંદાજે ૬૫ પ્રજાતિ અહી વેકેશન ગાળવા માટે આવે છે.. પરંતુ આ વર્ષ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ વર્ષ માત્ર ૩૫ થી ૪૦ પ્રજાતિના પક્ષીઓ વિદેશથી આવ્યા છે ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઇ વેકલાઇન્ડોમાં પાણી હોવાને લઈ પક્ષીઓની પ્રજાતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મોટાભાગના પક્ષીઓ છિછરા પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે તેને લઈને પણ આ વખતે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.  
વિદેશી પક્ષીમાં જેમાં પેલીગન, ફ્લેમિન્ગો,કુંજ,કોમન ક્રુ અને સોલવર સહિત ની અલગ અલગ પ્રજાતિ ના પક્ષિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વિદેશ થી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે તેમજ પેલીગન અને ફ્લેમિન્ગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂંટે છે પક્ષિ પ્રેમીઓની માંગ છે કે આ વિસ્તારમાં પક્ષિ અભ્યારણ પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application