પોરબંદરમાં અસ્માવતી ઘાટ નજીક મોટી માત્રામાં રેતીની ચોરી થઇ રહી છે અને તેમ છતા પોરબંદરનું તંત્ર જાગતુ નહી હોવાથી કયાંકને કયાંક તંત્રના અધિકારીઓની તો તેમાં સંડોવણી નથી ને તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
પોરબંદરના વોરાવાડથી જુની દીવાદાંડી તરફ જતા રસ્તે છેલ્લા કેટલાક દિવસોથી મોટી માત્રામાં રેતીની ચોરી કરવામાં આવતી હોય તેવા સ્પષ્ટ પુરાવા મળી રહ્યા છે. સમુદ્રના કિનારે ૨૦ થી ૩૦ ફૂટ પહોળા ખાડા પડી ગયા છે જે અંદાજે પાંચ થી સાત ફૂટ જેટલા ઉંડા છે. જૂના બંદર તરફ જતા રસ્તે અનેક જગ્યાએ આ રીતે રેતીની ચોરી થઇ રહી હોવાનું સામે આવ્યુ છે. સવારના સમયે છકડો રીક્ષાઓ ભરીને રેતીની ઉઠાંતરી કરવામાં આવતી હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઇ રહ્યુ છે. તેમ છતાં તંત્ર દ્વારા અગમ્ય કારણોસર આંખ આડા કાન કરતા હોવાનુ સિધ્ધ થઇ રહ્યુ છે. પોરબંદરના આ વિસ્તારમાં સમુદ્રના તોફાની મોજા આગળ વધી રહ્યા છે અને રેતીચોરીના કારણે હવે રસ્તાને પણ નુકશાન થાય તેવી શકયતા જણાઇ રહી છે. માટે તંત્ર દ્વારા આ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવે તે જરી બન્યુ છે અને રેતીચોરીને અટકાવવા માટે નક્કર પગલા ભરવા જરી બની ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech