ગુરૂ ગ્રહ પર ભયંકર સફેદ વાવાઝોડું ઊભું થયું છે. જેની પહોળાઈ આપણી ધરતી કરતા વધુ છે. આ વાવાઝોડું ગુરૂના લાલ–ભૂરા રંગના વિશાળ પટ્ટા પર આવ્યું છે. આ તોફાન એકતરફી નથી. તેના બદલે તે વક્ર છે. જેમ પૃથ્વી પર ચક્રવાતી તોફાન આવે છે, બરાબર એ જ રીતે. તેમાંથી લીલી વીજળી ચમકી રહી છે.
ગુરૂ ગ્રહ પર વાયુઓના વાદળો ભેગા થાય છે. આને કારણે ગુરૂ ના બાહ્ય વાતાવરણનો રગં હંમેશા બદલાય છે. એક જગ્યાએ જે રીતે થોડા દિવસો પહેલા દેખાતું હતું તે પ્રમાણે કઈં જ રહેતું નથી. એસ્ટ્રોફોટોગ્રાફર માઈક કેરેરે ગુના વાવાઝોડાનો ફોટો લીધો હતો. પછી તેણે લીલો પ્રકાશ જોયો.
તેમની તસવીરોમાં બે મોટા સફેદ ડાઘ આગળ પાછળ ફરતા જોવા મળે છે. તે ગુરૂના દક્ષિણ વિષુવવૃત્તીય પટ્ટાની નજીક છે. તે બ્રાઉન બેલ્ટ પર હાજર છે. બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશનના ખગોળશાસ્ત્રી જોન રોજર્સે જણાવ્યું હતું કે આ બે સફેદ ડાઘ વાસ્તવમાં બે વિશાળ તોફાન છે. અગાઉ આવા તોફાન ૨૦૧૬–૧૭માં જોવા મળ્યા હતા. એવી સંભાવના છે કે આ વાવાઝોડું ઘણું મોટું હોય શકે છે કારણ કે તેનું કદ હજુ સુધી માપવામાં આવ્યું નથી પરંતુ એટલું ચોક્કસ છે કે આ વાવાઝોડું આખી પૃથ્વીને સરળતાથી ગળી જશે. તેમ છતાં તેમાં જગ્યા બચશે. આ તોફાન લાંબો સમય ચાલશે નહીં. જેમ ગુરૂ પર હાજર વિશાળ લાલ જાયન્ટ છે. આ તૂટી જશે.યાં સુધી વાત લીલા પ્રકાશની છે તો જોન રોજર્સ કહે છે કે આ પ્રકાશ વિવિધ રસાયણો અને વાયુઓ ધરાવતા વાદળોની અથડામણથી સર્જાઈ શકે છે. આ પહેલા પણ અહીં વિવિધ રંગોની વીજળી જોવા મળી છે. ૧૯૭૩માં આ પટ્ટામાં તોફાન આવ્યું હતું, જે ૧૯૯૧માં સમા થયું હતું. એ પછી ૨૦૧૦માં થોડા સમય માટે આવું જ તોફાન આવ્યું હતું. આના કારણે બેલ્ટના રંગમાં થોડો ફેરફાર થાય છે પરંતુ લાંબા સમય સુધી નહીં. યારે ગુરૂના વાતાવરણમાં વાયુઓના વાદળો અથડાય છે, ઘર્ષણ થાય છે અથવા ફરે છે ત્યારે આ પ્રકારની વીજળી ઉત્પન્ન થાય છે. યારે પૃથ્વી પર વીજળી પડે છે ત્યારે તેમાં વાદળી રગં વધુ જોવા મળે છે. કારણ કે પાણીના ટીપા પૃથ્વી પર હાજર છે પરંતુ ગુરૂ પર વીજળીનો રગં લીલો હોય છે. કારણ કે વાતાવરણમાં વધુ એમોનિયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech