પોરબંદરમાં સેવા પ્રવૃત્તિઓ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા વીર બાબલ ગ્રુપ દ્વારા ઓડદર ગામની ગૌશાળા અને તેની આજુબાજુના વિસ્તારમાં ચકલી ઘરનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર વીર બાબલ ગ્રુપ શીતલાચોકના સદસ્યો દ્વારા એક અનોખા સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સેવાકાર્ય અંતર્ગત ગયા ચોમાસા દરમિયાન આ ગ્રુપના સભ્યો દ્વારા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ઓડદર ગૌશાળા અને તેના આસપાસના વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન વપરાશમાં લેવામાં આવેલા ગરબાઓનું ચકલી ઘર તરીકે ઉપયોગ થાય તેવી રીતે ચકલી ઘર રૂપે બાંધવામાં આવેલા હતા અને સાથે સાથે ચકલી ઘર પણ બાંધવામાં આવેલા હતા.
આ ચકલી ઘર આસપાસ અને પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ઓડદર ગૌશાળામાં તથા તેની આસપાસના વિસ્તારમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં ચકલી અને નાના પંખીઓને પુરતા પ્રમાણમાં ખોરાક તથા પાણી મળી શકે તેવા ઉમદા આશયથી ચોમાસા દરમિયાન બાંધવામાં આવેલા ચકલી ઘરોની આસપાસ ચકલીઓને ચણ મળી રહે તેવી વ્યવસ્થા અને ચકલીઓ તથા અન્ય પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે પાણીના કુંડાઓ પણ વિવિધ જગ્યાએ બાંધવામાં આવ્યા અને સાથે સાથે તેવું આયોજન પણ કરવામાં આવ્યું કે આ ગ્રુપના યુવા સદસ્યો દ્વારા દરરોજ આ પાણીના કુંડાઓનું પાણીથી ભરેલા રાખવા માટે યુવાનો નિત્ય પરિશ્રમ કરી આ કુંડાઓને પાણીથી ભરેલા રાખવામા આવશે અને દરરોજ પક્ષીઓને દાણા-ખોરાકનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
ઉપરોક્ત સેવાકાર્યોમાં વીર બાબલ ગ્રુપ શીતલાચોકના સદસ્યો દીપેનભાઈ ગોહેલ,વિનેશભાઇ મકવાણા,ધર્મેશ ગોહેલ,ઋત્વિક લોઢારી, ઉમેશ જુંગી, ધ્રુવ મોદી, ખુશાલ બાદશાહી તથા બાળ સદસ્યો હર્ષ ગોહેલ અને દિયાન ગોહેલ વગેરે સદસ્યોએ સક્રિય સેવા આપેલી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech