સાંસદ, ધારાસભ્ય, જામ્યુકોના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને સફળતા: વિવિધ વિકાસના કામો માટે અનુદાન વપરાશે
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે જામનગર સહિત ચાર મહાનગરોને નગરપાલિકાની કુલ રુા. ૧૪૧૩ કરોડ ફાળવ્યા છે અને જામનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે રુા. ૧૭૭.૯૭ કરોડ ફાળવાયા છે, આમ શહેરના વિકાસના કામોને વેગ મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાપાલિકા રુા. ૧૭૭.૯૭ કરોડ, સુરતને ૧ર કરોડ, ગાંધીનગરને ૧૦૧ કરોડ અને અમદાવાદને ૧૮૦.૬૪ કરોડ ફાળવાયા છે, ઉપરાંત ૧પ૭ નગરપાલિકાને અને ૩ અર્બન ઓથોરીટીને પણ ગ્રાન્ટ ફાળવાય છે, જામનગરના વિકાસ કામ માટે આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડો. વિમલ કગથરા, નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા એ રજૂઆત કરી હતી અને જામનગરને વધુ કામ મળે એ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જામનગરને વધુ અનુદાન ફાળવો, જેમાં તેને સફળતા મળી હતી.
મુખ્યમંત્રી એ પાણી પૂરવઠાના કામ માટે આઉટગ્રોથના કામો શહેરી સડક યોજના, જનભાગીદારીના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સીસી રોડ, ડ્રેનેજ પેવર બ્લોકના કુલ ૭૮૯ કામ માટે રુા. ૧૮૦.૬૪ કરોડ, ઓડા, સુડા, રુડાના કામ માટે રુા. ૪પ૧.ર૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.
૧પ૭ નગરપાલિકામાં અ વર્ગને રર નગરપાલિકાને ૧૦૧ કરોડ, બ વર્ગની ૩૩ નગરપાલિકાને ૮૦ લાખ, ક વર્ગની ૬૦ નગરપાલિકાને ૬૦ લાખ, ડ વર્ગની ૪પ નગરપાલિકાને ૪૦ લાખ ફાળવવામાં આવ્યા છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની કેટલીક નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, આમ જામનગરને સરકારે રુા. ૧૭૭.૯૭ કરોડની માતબર રકમ ફાળવતા હવે વિકાસ કામોને વેગ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech