જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલો ઉમિયા સાગર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી રાત્રે ૧૦.૧૫ વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે, આથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ, ખારચીયા, ચરેલીયા, રાજપરા અને રબારીકા તથા જામજોધપુર તાલુકાના સીદસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલમિલકત તથા ઢોરઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
આજે રાજ્યમાં સવારે 6થી રાતે 8 સુધી 206 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના કેશોદમાં 8.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે જૂનાગઢ, દ્વારકા, જામનગર, અમરેલી સહિતના જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં અન્ય તાલુકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 8.2 ઈંચ, જૂનાગઢના વંથલીમાં 7.8 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 7.5 ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7.4 ઈંચ, જૂનાગઢ શહેરમાં 6.7 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech