નિંગાળા રેલવે સ્ટેશન નજીક માલગાડી પાટા પર ખડી પડી

  • February 28, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા બોટાદ જિલ્લાના નિંગાળા રેલવે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ખડી પડી હતી. પીપાવાવથી અમદાવાદ તરફ જતી માલગાડી નિગાળા રેલ્વે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ખડી પડતા રેલ યાતાયાત ખોરવાયો હતો. આ અંગે ભાવગર રેલવે ડિવિઝન કચેરી ખાતેથી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર રેલવે ડિવિઝનના પીપાવાવથી અમદાવાદ તરફ જતી માલગાડી નિગાળા રેલ્વે સ્ટેશન પાસે પહોંચતા માલગાડીનું એક વિલ પાટા પરથી ખડી ગયું હતું. માલગાડી પાટા પર થી ખડી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે નિગાળા થી ભાવનગર જતી ટ્રેનોને થાંભવી દેવાઈ હતી. આ બનાવને પગલે બંદ્ર-ભાવનગર ટ્રેનને આશરે બે કલાક જેવા સમય માટે બોટાદ રેલવે સ્ટેશન પર ઉભી રાખી દેવામાં આવી હતી. જોકે મોડીરાત્રે બનાવ બનતા રાત્રીના ટ્રેનોનો સમય ન હોવાથી અન્ય ટ્રેનને મુશ્કેલી પડી ન હતી. જોકે મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે બોટાદ એસટી ડેપોથી ત્રણેક બસો મૂકવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. મોડીરાત સુધી રેલવે વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરી રેલ યાતાયાત શરૂ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application