જામનગરનાં સરલાબેન ત્રિવેદી ભવનનાં ફ્લેટમા આગની ઘટનાથી દોડધામ

  • October 28, 2023 10:33 AM 

ફાયર બ્રિગેડે આગ કાબૂમા લીધી


જામ,નગરનાં શરૂ સેક્શન માર્ગે આવેલ બહુમાળી ઈમારતનાં પાંચમા માળે એક ફ્લેટમા આજે મોડી સાંજે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને આગ કાબુમા લીધી હતી.


શહેરનાં શરૂ સેક્શન માર્ગે પરના સરલાબેન ત્રિવેદી ભવનમા વીંગ નંબર એ-૩, નાં ફ્લેટ નંબર : ૫૦૩ માં રહેતા પારેખ પરિવારનાં ઘરમા મોડી સાંજે આગ લાગી હતી. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો, અને એક ગાડીમાંથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગને કારણે ઘરમા ગાદલા-ગોદડા સળગી ગયા હતા. જ્યારે ઘરવખરી,  ફર્નિચર સહિતમા કેટલું નુકસાન થયું હતું. આ બનાવ સમયે ભવન વસવાટ કરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘરમા કપડાને ઈસ્ત્રી કરતા સમયે ભૂલથી ઈસ્ત્રી ચાલુ રહી જતાં આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application