ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓ અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પાનવાડી પાસે કોળી જ્ઞાતિની વાડી સામે કાળા ડેલામાં આવેલા ધાર્મિકભાઈ રવજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં ગત રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી. જે આગની લપેટમાં ઘરની અંદર રહેલ ફ્રીઝ, ટીવી, હોમ થિયેટર, મિક્ચર સહિતનો ઈલેક્ટ્રીક તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે આગની ઘટના અંગે મકાન માલિક અને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી એક ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે ઇજા પહોંચી ન હતી. પરંતુ આગને કારણે ઘર વખારી સમાન સળગી જતા મોટી નુકશાની પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમીઠાપુરમાં અપહરણ તથા લૂંટના ગુનામાં બે આરોપીઓના આગોતરા જામીન મંજૂર
October 05, 2024 11:33 AMખંભાળિયાના કેશોદ ગામે જાતરના પરંપરાગત મેળામાં અશ્વ રેસ
October 05, 2024 11:32 AMકલ્યાણપુરના ગાગા મુકામે સિંધવી માતાજીના સાનિધ્યમાં ધર્મોત્સવ
October 05, 2024 11:27 AMરાજ્ય મંત્રીમંડળમાં ફેરફાર, વિસ્તરણ કે બીજું કાંઈ?
October 05, 2024 11:27 AMપ્રથમ વખત ભારતનું વિદેશી ભંડોળ 700 બિલિયન ડોલરને પાર પહોંચ્યુ
October 05, 2024 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech