પાનવાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ ભભૂકી

  • April 03, 2024 05:33 PM 

ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઈલેક્ટ્રીક ચીજવસ્તુઓ અને ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પાનવાડી પાસે કોળી જ્ઞાતિની વાડી સામે કાળા ડેલામાં આવેલા ધાર્મિકભાઈ રવજીભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં ગત રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠી હતી. જે આગની લપેટમાં ઘરની અંદર રહેલ ફ્રીઝ, ટીવી, હોમ થિયેટર, મિક્ચર સહિતનો ઈલેક્ટ્રીક તેમજ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે આગની ઘટના અંગે મકાન માલિક અને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી એક ગાડી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની કે ઇજા પહોંચી ન હતી. પરંતુ આગને કારણે ઘર વખારી સમાન સળગી જતા મોટી નુકશાની પહોંચી હતી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application