ખંભાળિયામાં વાડીએ જતા રસ્તાને બંધ કરવા બાબતે બોલાચાલી

  • August 26, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવાન પર હુમલો : ધમકી સબબ મહિલાઓ સહિત સાત સામે ગુનો

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા હસમુખભાઈ વીરાભાઈ નકુમ નામના ૩૮ વર્ષના યુવાન તથા તેમના પરિવારજનોની વાડી તરફ જવાનો રસ્તો બંધ કરી દેવા બાબતે કહેવા જતા આ જ વિસ્તારમાં રહેતા અનિલ જેઠાભાઈ નકુમ, દિવ્યેશ દિનેશભાઈ, વૈદિક દિનેશભાઈ, જયેન્દ્ર જેઠાભાઈ, દિનેશ જેઠાભાઈ, જમનાબેન દિનેશભાઈ અને બીનાબેન જયેન્દ્રભાઈ નકુમ નામના સાત પરિવારજનોએ એકસંપ કરી, ઉશ્કેરાઈને ફરિયાદી હસમુખભાઈ તથા તેમની સાથે અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં બે મહિલાઓ સહિત તમામ સાત સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application