મુરાદનગરમાં બે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 01, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





મુરાદનગરના મનોટાના પવનપુરી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી શિવ ઓઈલ કંપનીમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ઓઈલના ડ્રમમાંથી લાગેલી આગ થોડી જ વારમાં સમગ્ર ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી.




આગ આખી ઈમારતને લીધી લપેટમાં




જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. થોડી જ વારમાં આગ નજીકની ઈમારતને લપેટમાં લઈ લીધી. આ બિલ્ડીંગ બીઆર એગ્રો કંપનીની છે.



આગની વિકટ પરિસ્થિતિને જોતા ગાઝિયાબાદ અને નોઈડાથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી હતી. સદનસીબે ફેક્ટરીમાં કોઈ વ્યક્તિ ન હાજર ન હતી. હજુ પણ આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ કામે લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application