પાતા મેઘપરના ખેડૂતને હૃદય રોગનો હુમલો આવતા મોત

  • September 23, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામના એક ખેડૂતને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને અપમૃત્યુ થયું છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગ રણછોડભાઈ ડાયાભાઈ ઠુંમર (ઉ.વર્ષ ૭૫) કે જેઓને ગઈકાલે પોતાના ઘેર એકાએક હૃદય રોગનો હુમલો આવ્યો હતો, અને બેશુદ્ધ થઈ જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં જ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ સ્ટાફે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application