નવાગામ પાસે ગોડાઉનમાંથી પિયા ૧૦.૩૨ લાખના ૩૫ એસીની ચોરી થયાનો બનાવ બન્યો છે. આ અંગે ગોડાઉનના સીસીટીવી ફટેજ ચકાસતા ડ્રાઇવર તરીકે કામ કરનાર છોટાહાથીના બે ફેરા કરી આ એસી ચોરી કરી ગયો હોવાનું માલુમ પડું હતું. તેનો સંપર્ક કરવાની કોશિશ કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજી તરફ ચોરીની આ ઘટનાને લઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સકંજામાં લઈ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર રાધા પાર્ક બી–૩ હવેલી વાળી શેરી બ્લોક નંબર પાંચમાં રહેતા વેપારી દીપભાઈ હિતેશભાઈ સવજીયાણી(ઉ.વ ૨૫) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમને ત્યાં ત્રણ માસથી કામ પર રહેલા ડ્રાઇવર રાજલમી સોસાયટી સાનિધ્ય એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૧ માં રહેતા પારસ દેવાભાઈ ઠાકરનું નામ આપ્યું છે.
લોહાણા વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મિત્ર બ્રિજેશભાઈ વાઘવાણીનું નવાગામ પાસે બંસી હોટલ નજીક ન્યારા પેટ્રોલ પપં સામે કમલેશ ટ્રેડર્સ નામનું ગોડાઉન આવેલું છે. જે ગોડાઉનમાં તેમણે ૧૫ દિવસ પૂર્વે ૨૦૦ જેટલા એસી રાખ્યા હતા. તારીખ ૧૬૫૨૦૨૪ ના અહીં સ્ટોક ચકાસતા અહીંથી ૩૫ એસીની ઘટ આવી હતી. જેમાં લોઇડ કંપનીના ૩૦ એસી તથા કેરિયર કંપનીના પાંચ એસી મળી કુલ પિયા ૧૦.૩૨ લાખના આ ૩૫ એસી જોવા મળ્યા ન હતા. બાદમાં ફરિયાદીએ તેમના ડ્રાઇવર પારસ ઠાકરને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
ત્યારબાદ ગોડાઉનના સીસીટીવી કેમેરાના ફટેજ ચકાસતા ડ્રાઇવર પારસ ઠાકર તારીખ ૧૫૫ ના રાત્રીના ફરિયાદીના માલિકીની છોટા હાથી ગાડી મારફત બે ફેરા કરી અહીંથી એસી લઈ જતો હોવાનું નજરે પડું હતું અને બાદમાં આ ગાડી અહીં ગોડાઉન પાસે રાખી દીધી હતી. ત્યારબાદ પારસની તપાસ કરી હતી પરંતુ તેના ઘરે પણ તેનો કોઈ પતો ન લાગતા અંતે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઇ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
બીજી તરફ આ ઘટનાને લઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું અને આરોપી પારસ ઠાકરને સકંજામાં લઈ લીધો હોવાનું માલુમ પડું છે. પોલીસ દ્રારા આરોપી પાસેથી તેણે ચોરી કરેલ આ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech