કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ કેન્દ્રીય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાએ રવિવારના પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર સાથે રેલવેના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ ભાવનગર-સુરત ટ્રેન દોડાવવા,ધોળામા સ્ટોપેજ આપવા નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન દોડાવવા, ભાવનગર-ગાંધીગ્રામ ઈન્ટરસીટી ટ્રેનને ધોળા સ્ટેશન પર સ્ટોપેજ આપવા, ભાવનગરથી સુરેન્દ્રનગર થઈને દોડતી કેટલીક ટ્રેનોને બોટાદ-ગાંધીગ્રામ થઈને દોડાવવા સહિતના મસલે વિસ્તૃત ચર્ચા કરી હતી. ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક પર ચાલી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવી હતી.આ બેઠકમાં સોનગઢ, સિહોર, પાલિતાણા, બોટાદ વગેરે સ્ટેશનો પર અમૃત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુન:વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ઓવરબ્રિજ-અંડરબ્રિજના
કામો માંગણી મુજબ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેક્રેટરી જાગૃતિ સિંગલા, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, ભાજપ મહામંત્રી અભયભાઈ ચૌહાણ અને રેલવે વતી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો.) મનિષ મલિક, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સી. આર.ગરૂડા અને સહાયક સુરક્ષા આયુક્ત એલ. બી. સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech