જામનગર નજીક સપડા વિસ્તારમાં સાત જેટલા પદયાત્રીઓને ઠોકરે ચડાવનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

  • September 09, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર થી સપડા પદયાત્રા કરીને જઈ રહેલા ૭ ગણેશ ભક્તોને ઠોકર મારી ઈજા પહોંચાડવા અંગેના પ્રકરણમાં રીક્ષા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર થી સપડા ગણેશજીના મંદિરે પદયાત્રા કરીને જઈ રહેલા ૭ જેટલા પદ યાત્રીઓને ઇજા પહોંચાડનાર જીજે ૧૦ ટી. ડબલ્યુ. ૭૫૧૨ નંબરના રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરવામાં આવી હતી.


સાત જેટલા પદયાત્રીઓને ઠોકર માર્યા બાદ રીક્ષા ચાલકે સામેથી ગણપતિ દાદા ના દર્શન કરીને આવી રહેલા બાઈક ચાલક રીસી વિશાલભાઈ દાઉદીયા ને પણ લઈ હડફેટમાં લઇ લીધા હતા, અને તેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

ઉપરોક્ત સમગ્ર અકસ્માતના મામલે ઈજાગ્રસ્ત યુવાન રિશી ના પિતા વિશાલભાઈ નરશીભાઈ દાઉદીયાએ જી.જે.૧૦ ટી. ડબલ્યુ ૭૫૧૨ નંબરની રીક્ષા ના ચાલક સામે વળતી ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application