ભાવનગર શહેરના તખતેશ્વર વોર્ડમાં આવતા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો અંગે લોકોને પડતી મુશ્કેલી અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપા કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ભાવનગર શહેરના તખતેશ્વર વોર્ડના જે ભાવનગર મહાનગર પાલિકાના મેયરનો વોર્ડ છે. અને મેયરના જ વોર્ડમાં વિવિધ વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપી રજુઆત કરી હતી. ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા તખ્તેશ્વર વોર્ડ નં. ૭ માં આવતા વડવા બાપેસરા કુવા થી સીદી વાડ તરફ જતો રોડ, વડવા નેરા થી જડીની હોટલ થી ઝીલ પાન થઇ દેવજીભગતની ધર્મશાળા સુધીનો રોડ, વડવા નેરા થી ઝીલાન ચીકન થી કાછીયાવાડ તરફ જતો રોડ થી મતવા ચોક સુધી ળ, વડવા નેરા ચોકથી વિજય ટોકીઝ તરફ જતો રોડ, વડવા વરતેજીયા ફળી ધોરી ઉપરની શેરીમાં રાજુલા કાઢી બ્લોક ફીટ કરવાની રજુઆત અગાઉ પણ કરેલ છે. જેથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રોડ છે.
આ રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ આ વિસ્તારમાં રહેતા રહીશોને ખુબ મુશ્કેલી પડે છે. તેમજ આ તમામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ભરાઈ જવાથી તેનું પાણી રોડ ઉપર સતત રોડ પર વવહે છે. જે અંગે રોડ-રસ્તા અને ડ્રેનેજ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાયને આવેદન આપી રજુઆત કરાઈ હતી. અને ઝડપથી લોકોના પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech