પીએમજેવાય જેવી યોજનામાં થતી ગેરરીતિ સામે પગલાં લેવા માંગ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવવામાં આવતી લાલિયા વાડીના અનેક બનાવ તેમજ ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરતા જણાવાયું છે કે, પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરી હોસ્પિટલો દ્વારા "માં કાર્ડ"માંથી તો પૈસા લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દદી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે. આ અંગે સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલો અને સંકળાયેલા ડોક્ટરોને કડક સજા થવી જોઈએ.
સરકારી હોસ્પિટલોમાં ઈલાજ મફત કરવામાં આવે છે. રાજ્યની સાડા છ કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલોમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો અને દરેક તાલુકા વાઇસ સંપૂર્ણ સુવિધા વાળી 200 બેડની હોસ્પિટલો બનાવવી જોઈએ. જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ. સરકારી પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે, જેની સંપૂર્ણ તપાસ કરી જવાબદારોને કડકમાં કડક રાજા થવી જોઈએ. જે મુદ્દે મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
પીએમજેવાય અને "માં કાર્ડ" અંતર્ગત સંલગ્ન દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં મોટા પાયે ગેરરીતી અને ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં ભ્રષ્ટાચારનો આધાર પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કરીશું તેમ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેમેરાથી બીક લાગે: બોલીવુડમાં તો નહી જ આવું: સારા તેંડુલકર
May 09, 2025 12:25 PMમોટા પડદા પર 'શ્રી કૃષ્ણ' ની ભૂમિકા ભજવવાની આમિરની ઈચ્છા
May 09, 2025 12:23 PM'બોર્ડર 2'માં સોનુ નિગમ અને અરિજિત સિંહ સાથે ગાશે 'સંદેશે આતે હૈં'
May 09, 2025 12:22 PMપરિસ્થિતિને ઘ્યાનમાં લઇને જી.જી. હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા
May 09, 2025 12:21 PMજુનિયર કલાકારનું મોત થયું ત્યારે કોઈ શુટિંગ હતું જ નહી
May 09, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech