પોરબંદરમાં રોગચાળો ફેલાય નહી તે માટે મહાસફાઇ અભિયાન થયુ શરૂ

  • September 02, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં વરસાદને લીધે ચારે બાજુ પાણી ભરાઇ ગયા બાદ હવે તે ઓસરી રહ્યા છે ત્યારે ચારેબાજુ ગંદકી જોવા મળતા નગરપાલિકાના સેનીટેશન વિભાગે સાફસફાઇની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી છે.
છાયા ચોકીથી ખીજડીપ્લોટ સુધીના વિસ્તારમાં પાણીના નિકાલ માટે રેડ ક્રોસ સોસાઈટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં ૯ અને ૧૦ના કાઉન્સિલર મળીને જેટીંગ મશીન બોલાવીને પાણીના નિકાલ માટે ની કામગીરી હાથ ધરી જેમાં સરોજબેન કક્કડ, હિતેષભાઇ કારિયા, વિકાસભાઈ જોશી દ્વારા જેહમત ઉઠાવામાં આવી સ્થાનિક લોકો એ રામદેવભાઈ મોઢવાડિયા તથા કાઉન્સિલરો ની આ કામગીરી ને બિરદાવી હતી.
આજ રોજ કુંભારવાડા વિસ્તાર વોર્ડ નંબર ૬ માં વરસાદી પાણી ભરાઇ જતાં વરસાદી પાણી ઓસરતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર છાંયા નગરપાલિકા ના પ્રમુખ ચેતનાબેન તિવારી તેમજ પોરબંદર છાંયા નગરપાલિકા ના સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટીના માર્ગદર્શન નીચે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં છાંયા નગરપાલિકા ના પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી એ ખાસ હાજરી આપી હતી. 
પોરબંદર છાંયા નગરપાલિકા ના સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી દ્વારા પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં તેમજ દરિયા કિનારા વિસ્તાર માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેળો યોજાયો હતો જેમાં વરસાદ ના કારણે કાદવ કીચડ તેમજ ફરવા આવતા લોકો દ્વારા કચરો તેમજ પ્લાસ્ટિકના ઝબલા ઓ ના કારણે ગંદકી નજરે પડતાં સેનિટેશન ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application