પોરબંદરના માણેકચોકમાં છેલ્લા ૨૭ વર્ષથી ગેરકાયદેસર રીતે દુકાનનો કબ્જો જમાવીને ધંધો કરનાર વેપારી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો દાખલ થયો છે.
પોરબંદરના એસ.ટી. રોડ પર લલીત મેન્શન ખાતે રહેતા અને માણેકચોકમાં ઠા. છગનલાલ ગોવિંદજી ગાંધી નામની અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા દિવ્યેશભાઇ લલીતકુમાર મદલાણી નામના વેપારી દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેના દાદા છગનલાલ ગોવિંદજીએ ઇ.સ. ૧૯૪૨ની સાલમાં માણેકચોકમાં સંયુકત માલિકીનું કબ્જા ભોગવટાવાળુ મકાન ખરીદ્યુ હતુ અને ત્યારબાદ વારસાહીથી તે મિલ્કત દિવ્યેશભાઇના પિતા લલીતકુમારના નામે થઇ હતી અને પિતાની તબીયત બરાબર રહેતી નહી હોવાથી વર્ષ ૨૦૨૨માં પાવર ઓફ એટર્ની દિવ્યેશના નામે કરી આપી હતી. દિવ્યેશના પિતા લલીતકુમાર મદલાણીએ તા. ૧-૫-૧૯૮૧થી માણેકચોકની એક દુકાન અમૃતલાલ વૃજલાલ કંસારાને ૭૫ ાના માસિક ભાડે આપેલ હતી અને વેરો પણ અમૃતલાલ કંસારાના નામે નગરપાલિકામાં ભરવામાં આવે છે. અમૃતલાલ કંસારા તા. ૩-૩-૧૯૯૬ના મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્ર લલીત અમૃતલાલ કંસારાએ દુકાનની ભાડાચીઠ્ઠીમાં નામફેર કરવાની કાર્યવાહી કર્યા વગર દુકાનમાં ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો અને અમૃતલાલ વૃજલાલ કંસારાના ભળતા નામથી એટલે કે ‘અમૃતલાલ વી. કંસારા’ના નામે વાસણનો ધંધો ચાલુ કરી દીધો હતો. આથી ગેરકાયદેસર કબ્જો જમાવવા બદલ લલીલ કંસારા સામે પોરબંદર જિલ્લા કલેકટરની કોર્ટમાં નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેની સામે લલિતે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને હાઇકોર્ટે એ અરજી ખારીજ કરી હતી. જિલ્લા કલેકટરને કરેલી અરજી અનુસંધાને તપાસના અંતે પોલીસ ફરિયાદ કરવા માટે દિવ્યેશ મદલાણીને સુચના અપાતા તેણે લલીત અમૃતલાલ કંસારા વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કીર્તિમંદિર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech