જૂનાગઢમાં સોનાના દાગીના ગીરો મૂકયા બાદ વ્યાજની ચૂકવણી છતા દાગીના પરત ન આપતા ચાર મહિલા સહિત પાંચ સાથે .૮.૪૨ લાખની વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે સોની વેપારી સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ માં દિવાન ચોકમાં આવેલ સોની વેપારીની દુકાનમાં મહિલાએ સોના ચાંદીના દાગીના ગીરો મુકેલ હતા. ત્યારબાદ નવા દાગીના બનાવવા રોકડ રકમ પણ આપેલ હતી.પરંતુ વેપારીએ ચાર મહિલા અને એક પુષ સહિત પાંચ વ્યકિતઓ પાસેથી દાગીના મેળવી પરત ન આપતા વિશ્વાસઘાત છેતરપિંડી થયા અંગે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સોની વેપારી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એ ડિવિઝન માંથી પ્રા વિગત મુજબ ઝાંઝરડા ગામે રહેતા સોનલબેન વિજયભાઈ ચોરવાડાએ દિવાન ચોકમાં આવેલ સોની હરકિશન પરસોતમદાસ ની સોના ચાંદીની દુકાનમાં ૪ લાખની કિંમતના દાગીના ગીરવે મૂકી .૩.૬૦ લાખ ૨૬૦૦ના માસિક વ્યાજે લીધેલ હતા અને દર મહિને વ્યાજ ચૂકવેલ અને દાગીના છોડાવવા માટે ૧ લાખ જમા કરાવેલ યારે બાકીના દાગીના છોડાવવા માટે ૨.૫૦ લાખ દેવાના બાકી હતા આ ઉપરાંત મનિષાબેને ૮૦ હજારના સોનાના દાગીના તથા ૫૦ હજારની રોકડ, જીવીબેન દ્રારા ૪૦ હજારની પાનબુટી, હરેશભાઈ ચૌહાણ એ ૧.૨૦ લાખ સોનાના દાગીના તથા નવો દાગીનો બનાવવા ૧.૧૨ લાખની રકમ એડવાન્સમાં આપેલ હતી, હીનાબેન ડાભીએ બે મોટી જોડી એમ મળી કુલ ૮.૪૨ લાખ ગીરવે રાખી ત્યારબાદ વ્યાજની રકમ મેળવી વેપારીએ દાગીના પરત ન આપતા સોની વેપારી નિરેન ગિરધરભાઈ ધોળકિયા અને હાર્દિક ગિરધરભાઈ ધોળકિયા બંને ભાઈઓ સામે ૮.૪૨ લાખની રકમની વિશ્વાસઘાત છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી એ ડિવિઝન પીએસઆઇ વાજાએ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech