જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં પુરઝડપે આવી રહેલા એક ટ્રક ટેલર ના ચાલકે ત્રણ પદયાત્રી મહિલાઓને કચડી નાખી મૃત્યુ નિપજાવ્યા હતા, જયારે અન્ય કેટલાક પદયાત્રી મહિલાઓને ઈજાગ્રસ્ત બનાવ્યા હતા.
જે અકસ્માતના બનાવ અંગે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની મહિલા નીતાબેન અરજણભાઈ બકુતરિયાએ જોડીયા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ટ્રેલર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બકુત્રા ગામની કુલ ૧૨ મહિલાઓ પદયાત્રા કરીને દ્વારકાધીશજીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલકે ત્રણ પદયાત્રી મહિલાઓ છાનુબેન મહાદેવભાઇ બકુતરીયા (ઉ.વ.૨૩) ઉપરાંત રૂડીબેન લક્ષ્મણભાઈ બકુતરિયા (ઉ.વ.૬૫) અને સેજી બેન મેંરામભાઈ બકુતરિયા (ઉમર ૫૦) ને હડફેટમાં લઈને મૃત્યુ નિપજાવ્યા હતા, આ ઉપરાંત ગીતાબેન રાજાભાઈ કાસડ, સુસ્મિતાબેન જીવણભાઈ હેઠવાડિયા, રાણીબેન અરજણભાઈ બકુતરિયા વગેરેને ઇજાગ્રસ્ત બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પાછળથી આવેલા ટ્રક ટેલર ચાલકે અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો, જે અજાણ્યા વાહનના ચાલકને જોડિયા પોલીસ શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech