બાલંભાના પાટીયા પાસે ત્રણ મહિલા પદયાત્રીના પ્રાણ હરી લેનાર ટ્રક-ટેલરના ચાલક સામે ગુનો નોંધાયો

  • February 18, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં પુરઝડપે આવી રહેલા એક ટ્રક ટેલર ના ચાલકે ત્રણ પદયાત્રી મહિલાઓને કચડી નાખી મૃત્યુ નિપજાવ્યા હતા, જયારે અન્ય કેટલાક પદયાત્રી મહિલાઓને ઈજાગ્રસ્ત બનાવ્યા હતા.


જે અકસ્માતના બનાવ અંગે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની મહિલા નીતાબેન અરજણભાઈ બકુતરિયાએ જોડીયા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ટ્રેલર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બકુત્રા ગામની કુલ ૧૨ મહિલાઓ પદયાત્રા કરીને દ્વારકાધીશજીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલકે ત્રણ પદયાત્રી મહિલાઓ છાનુબેન મહાદેવભાઇ બકુતરીયા (ઉ.વ.૨૩) ઉપરાંત રૂડીબેન લક્ષ્મણભાઈ બકુતરિયા (ઉ.વ.૬૫) અને સેજી બેન મેંરામભાઈ બકુતરિયા (ઉમર ૫૦) ને હડફેટમાં લઈને મૃત્યુ નિપજાવ્યા હતા, આ ઉપરાંત ગીતાબેન રાજાભાઈ કાસડ, સુસ્મિતાબેન જીવણભાઈ હેઠવાડિયા, રાણીબેન અરજણભાઈ બકુતરિયા વગેરેને ઇજાગ્રસ્ત બનાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પાછળથી આવેલા ટ્રક ટેલર ચાલકે અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો, જે અજાણ્યા વાહનના ચાલકને જોડિયા પોલીસ શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application