રાજકોટમાં નિલ સીટી ક્લબ પાસે રહેતા વેપારીને સુરતમાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ તેમને યુએસડીટી ( યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ) માં રોકાણ પર સારા વળતરની લાલચ આપી જે દિવસે રોકાણ કરશો તે દિવસે સાંજે જ પ્રોફિટ મળી જશે તેવો વિશ્વાસ આપી 55 લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં આ શખસોએ યેનકેન પ્રકારે બહાના વાપી વેપારીને તેમના પૈસા પરત આપ્યા ન હતાં.બાદમાં ફોન બંધ કરી નાસી ગયા હોય વેપારીએ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે વિશ્ર્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ નીલ સીટી ક્લબ પાસે એડલ્ફી એંકલાઉ ફ્લેટ નંબર ડી 302 માં રહેતા દેવેન દિલીપભાઈ મહેતા(ઉ.વ 39) નામના વેપારીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વરાછામાં રહેતા રાજુ મોહનભાઈ ભંડેરી તેનો પુત્ર સિદ્ધાર્થ રાજુભાઈ ભંડેરી તેમજ સુરતના અમરોલીમાં રહેતા અંકિત મુકેશભાઈ અજુડીયા અને કામરેજ વિસ્તારમાં રહેતા જતીન દેવેન્દ્રભાઈ કોઠારીના નામ આપ્યા છે. દેવેનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગાડી લે વેચ તથા જમીન લે વેચ નો વેપાર કરે છે. આજથી એકાદ વર્ષ પૂર્વે તે તથા તેમના મિત્ર ભાવિનભાઈ સાંગાણી બંને સુરત કામ માટે ગયા હતા ત્યારે અહીં અન્ય મિત્ર રાજુ ભંડેરીએ તેમના ઘર પાસે મળવા માટે બોલાવ્યા હતા બાદમાં ફરિયાદી તથા તેમના મિત્ર અહીં તેમને મળવા જતાં તેણે પોતાના પુત્ર સિદ્ધાર્થ સાથે મુલાકાત કરાવી હતી તેણે કહ્યું હતું કે, હું તથા મારો મિત્ર અંકિત અજુડીયા બંને ભાગીદારીમાં યુએસડીટી કરન્સીનું કામકાજ કરીએ છીએ અને તેમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળે છે તેમ કહી વેપારીને પૈસા રોકવા માટે કહ્યું હતું. વેપારીએ કહ્યું હતું કે હાલ મારી પાસે રૂપિયા નથી પરંતુ હું મારા મિત્રો પાસેથી રૂપિયા લઇ રોકાણ કરીશ. બાદમાં તે તથા તેમના મિત્ર ભાવિનભાઈ બંને રાજકોટ આવી ગયા હતા.
રાજકોટ આવ્યાના ત્રણેક દિવસ બાદ ફરી રાજુ ભંડેરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, યુએસટીટી કરન્સીમાં ઇન્વેસ્ટ કરો બાદમાં ફરિયાદીએ પોતાની પાસે રહેલા રૂપિયાનું રોકાણ કરવા માટે સિદ્ધાર્થ ભંડેરીના જણાવ્યા મુજબ ભવદીપ નાથાણીના નામે રૂપિયા 10 લાખનું આંગળીયુ મિત્ર ભાવિનભાઈ સાંગાણીની આંગડિયા પેઢી સદગુરુ તીર્થધામ એપાર્ટમેન્ટમાં એસ.એમ એન્ટરપ્રાઇઝમાંથી કર્યું હતું જે રૂપિયાના અડધા ટકાનું વળતર ત્રણેક કલાક પછી મળી ગયું હતું. ત્યારબાદ આ રીતે દસેક વખત ફરિયાદીએ વહીવટ કર્યો હતો અને તેમને તેમના વળતરના રૂપિયા ત્રણ ચાર કલાકમાં મળી ગયા હતા.
તારીખ 27/12/2023 ના રાજુ ભંડેરીનો વોટસએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, હું હાલ દુબઈ છું હવે તમે પૈસાની ચિંતા ન કરો તમે મોટું પેમેન્ટ કરો જેથી મારો ખર્ચો અહીંથી નીકળે અને તમારો પાસપોર્ટ મને મોકલાવો આપણે અહીં દુબઈથી ધંધો કરીશું. પરંતુ વેપારીએ કહ્યું હતું કે હાલ મારે દુબઈ નથી જવું ડિસેમ્બર પછી વિચારીશ. ત્યારબાદ રાજુ ભંડેરી અવારનવાર રોકાણનું કહેતા તારીખ 28/12/2023 ના ફરિયાદીએ મિત્ર ભાવિન પાસેથી રૂપિયા 50 લાખ તથા પાંચ લાખ બચત કરવા માટે રાખ્યા હોય તે 55 લાખ સિધ્ધાર્થ સાથે વાતચીત કરી જતીન દેવેન્દ્રભાઈ કોઠારી ને આંગડિયા મારફત મોકલ્યા હતા.
જોકે આ વખતે સાંજ સુધીમાં રકમ ન આવતા રાજુને ફોન કરતા તેનો ફોન બંધ હતો બાદમાં વોટસએપ કોલ કરતા તેણે કહ્યું હતું કે હું હાલ દુબઈ છું માટે ફોન નહીં લાગે તમારા રૂપિયા સેફ છે. બાદ તારીખ 30/12 ના ફરિયાદી રાજુને મળવા માટે સુરત જતા તે મળ્યો નહોતો પરંતુ તેનો પુત્ર સિદ્ધાર્થ મળતા સિદ્ધાર્થની સાથે તેનો મિત્ર જતીન કોઠારી આવ્યો હતો. પૈસા માટે વેપારી અહીં 15 દિવસ રોકાઇ રાજકોટ આવી ગયા હતા. બાદમાં તારીખ 6/1/2024 ના કરી તેઓ સુરત ખાતે ગયા હતા અહીં રાજુ ની મુલાકાત થતા તેણે કહ્યું હતું કે મારા દીકરા સિદ્ધાંતનો પાર્ટનર અંકિત અજૂડીયાએ ખોટું કર્યું છે માટે પૈસા ફસાઈ ગયા છે પરંતુ હું તમારા રૂપિયા એકાદ મહિનામાં આપી દઈશ આ સમયે પણ ફરિયાદી અહીં વિશે એક દિવસ સુધી રોકાયા હતા પરંતુ તેમને પૈસા મળ્યા ન હતા.બદમાં આ તમામ શખસો નાસી ગયા હતાં.
આમ આરોપીઓએ ફરિયાદી તથા તેમના મિત્ર ભાવિનભાઈ સાંગાણીને યુએસટીટીમાં રોકાણ કરો તો સારું વળતર મળશે અને સાંજે જ તમને રોકડમાં મળી જશે તેમ જણાવી સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલી એચ.એમ. આંગડિયા પેઢી મારફત ફરિયાદીએ રૂપિયા 55 લાખ મોકલ્યા હોય જે પરત આપવાના બદલે અલગ-અલગ બહાનાઓ કરી તમામ આરોપીઓ નાસી ગયા હોય જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 406,114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના રણજીતસાગર રોડ ઉપર બાઈક ડિવાઇડર સાથે અથડાઈ જતા અકસ્માત
April 29, 2025 12:20 PMપહેલગામના હુમલાના પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ વાડીનાર દ્વારા જાગૃતતારૂપી વાર્તાલાપ યોજાયો
April 29, 2025 12:19 PMજામનગર - રાજકોટ હાઈવે પર કાર પલ્ટી જતા અકસ્માત
April 29, 2025 12:18 PMઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકની પૂણ્યતિથિએ સ્કૂટર રેલી
April 29, 2025 12:15 PMજામનગર સહિત હાલારમાં પરશુરામ જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી
April 29, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech