જામનગરમાં બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વ. દિપકકુમાર પંડયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે ગીતા વિદ્યાલયમાં ગીતાજીના શ્લોકનું પઠન રાખવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા, તમામ બાળકોએ ગીતાજીના શ્ર્લોકની અંતાક્ષરી રમાડેલ હતી તેમજ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ટ્રસ્ટ તરફથી ઇનામ વિતરણ તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનુ સંચાલન તેમજ ઉદ્દબોધન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી એડવોકેટ જાગૃતિબેન વ્યાસ તરફથી કરવામાં આવ્યું હતું. આભારવિધિ એડવોકેટ નિધિ દિ. પંડયાએ કરી હતી. આ કાર્યક્રમને પ્રોત્સાહીત કરવા માટે ગીતા વિદ્યાલયના અગ્રણી રાજેન્દ્રભાઇ તેમજ તેના સહકર્મીઓ જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી કલ્પનાબેન પંડયા, જૈમિનભાઇ પંડયા તેમજ દિલીપભાઇ, ભિખુભાઇ ત્રિવેદી, રીટાબેન ત્રીવેદી, કેતનભાઇ વ્યાસ વગેરે તમામ બહ્મસમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એડવોકેટ જાગૃતિબેન વ્યાસની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech