રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીને કાલાવડ રોડ પર અકસ્માત નડતા તેમનું મોત થયું હતું.ટુ–વ્હીલર પર છૂટક સામાન લઈ નીકવાના વેપારીને માલ આપવા જતા હતા દરમિયાન છકડો રીક્ષા અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં શિવમ પાર્ક–૫ બ્લોક નંબર ૧૮ માં રહેતા મનોજકુમાર સુંદરદાસ ટેકવાણી (ઉ.વ ૫૪) નામના વેપારી ટુ–વ્હીલર લઈ કાલાવડના નિકાવા તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરડાવાજડી ગામ પાસે શંકર ભગવાનના મંદિર નજીક છકડો રીક્ષાએ તેમને હડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે વેપારીનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વેપારી મનોજકુમાર બે ભાઈ એક બહેનના પરિવારમાં વચેટ હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ હોલસેલમાં હાર્ડવેરનો સામાન રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં આપવા જતા હતાં. સવારે નીકાવાના વેપારીને હાર્ડવેરનો સામાન આપવા જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવના પગલે સિંધી પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો
દરરોજ ઇકો લઈ જતા પ્રથમ વખત ટુ–વ્હીલર પર ગયા
વેપારીના પરિવારજનો જણાવ્યું હતું કે, તેઓ રોજ સામાન ડિલિવરી કરવા માટે ઇકો લઇને જતા હતા પરંતુ આજરોજ પ્રથમ વખત તેઓ ટુ–વ્હીલરમાં સામાન ડિલિવરી કરવા માટે ગયા હતા અને આજરોજ તેમને અકસ્માત નડતા મોત થયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech