ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વાઘાવાડી રોડ પર આવેલા સેન્ટ્રલ સોલ્ટમાં પીએચડીનો અભ્યાસ કરવા આવેલા મધ્યપ્રદેશના યુવકે પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના અને સતના જિલ્લાના ન્યુ રામનગર, પગદંડ મોહલાના વોર્ડ નંબર ૧૫ ના વતની અને હાલ- વાઘાવાડી રોડ પાણીની ટાંકી નજીક આવેલી સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા સંચાલિત હોસ્ટેલના રૂમ નંબર ૩૬ માં રહેતા અનુરાગ ગણેશભાઈ તિવારી (ઉંમર વર્ષ ૨૭) નામનો યુવાન પાંચ દિવસ પહેલા ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પીએચડીનો અભ્યાસ કરવા અર્થે આવ્યો હતો. જે દરમિયાન ગત તારીખ ૧૦-૧ ના રોજ બપોરે એક કલાકના અરસામાં કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકી જઈ ગળાફાંસો ખાi આપઘાત કર્યો હતો. હોસ્ટેલના રૂમમાં જ આશાસ્પદ વિદ્યાર્થી યુવાનના આપઘાતની ઘટનાને લઈને ચકચાર માચી જવા પામી હતી.
યુવાન વિદ્યાર્થીના આપઘાતની ઘટના અંગે ૧૦૮ અને પોલીસ મથકને જાણ કરવામાં આવતા ૧૦૮ ની ટીમ અને નીલમબાગ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવકના મૃતદેહને નીચે ઉતારી જરૂરી.પંચનામું કરી લાશને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પોલીસ દ્વારા પરિવારજનોને બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી. જ્યારે યુવક નામ આપઘાત પાછળ હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. જોકે યુવકના પરિવારજનો સુરત ખાતે રહેતા હોય પોલીસ દ્વારા જાણ કરાયા બાદ પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અને નીલમબાગ પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech