ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત સાથે રાષ્ટ્રવીરો અને રાષ્ટ્રદ્રોહીની ઝાંખી કરતી હિન્દુ સેના

  • September 12, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણપતિ ઉત્સવમાં મહા આરતી અને અન્નકૂટ સાથે સૈનિકો રાષ્ટ્રકાર્ય માટે સંકલ્પબદ્ધ થયા



જામનગરમાં હિનદુ સેના  આયોજિત ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત જેમાં અફઘાનિસ્તાન 1876, નેપાલ 1904, ભુતાન 1906, તિબટ 1914, બાંગ્લાદેશ મ્યાનમાર 1937, પાકિસ્તાન 1947 શહીત ભારતના વધુ ટુકડાઓ થયા હતા. જેને એક કરવા અખંડ ભારતના સંકલ્પ લીધા હતા અને આ દેશને ખોખલો કરવામાં અને સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે બલિદાન  આપનારા રાષ્ટ્રવીરોને તેમજ સનાતન હિંદુરાષ્ટ્રના વિરોધી રાષ્ટ્રદ્રોહીની ઝાંખી કરી  સમાજમાં સનાતન ધર્મની રક્ષણ માટે બલિદાન આપનારા વીર સપૂતો ને નમન કરી અને રાષ્ટ્ર દ્રોહિને જાહેરમા લાવી સમાજની આંખ ખોલવાનો પ્રયત્ન હિન્દુ સેના એ કર્યો હતો તથા અન્નકૂટ અને મહા આરતીથી ભક્તગણો શ્રી ગણપતિ મય બની ગયા હતા. આ મહા આરતી પૂજારી ચિરાગ ભટ્ટ દ્વારા કરાવી હતી.


ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતીક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં વિશાલ કોમ્પ્લેક્સ એસો. ના હોદ્દેદાર દીપકભાઈ મહેતા, મયુરભાઈ કોટક વગેરે હાજર રહ્યા તથા મહાદેવ હર મિત્ર મંડળ ના રાજુભાઈ મહાદેવ સહીત તેમની ટીમ, બરધન ચોક વેપારી એસો. ના મનીષભાઈ, વિજયભાઈ સહિત ની ટીમ, તથા જામનગરના પ્રથમ નાગરિક મેયર  વિનોદભાઈ ખીમશુરિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, પ્રકાશભાઈ, પ્રમુખ  વિમલભાઈ, કોર્પોરેટર કેતન નાખવા સહિત ભાજપ શહેરની ટીમ અને જેમના તરફથી અન્નકોટ હતો તે અંબિકા ડેરી ના માલિક નારુભાઈ વધવા ઉપસ્થિત રહ્યા હતા.


આ સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોક સોલંકી, હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક  પિલ્લાઈ, મંત્રી મયુર ચંદન, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, ઉપપ્રમુખ ધીરેન નંદા સહિત અનેક સૈનિકોએ તેમજ મીડિયા સેલના સચિન જોશી અને મેહુલ મહેતા દ્વારા ખાસ વ્યવસ્થા સંભાળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application