કેબિનેટ મંત્રી બાવળીયાની ઉપસ્થિતમાં શિક્ષકો માટે સીપીઆર તાલીમ અને વર્કશોપ યોજાયો

  • December 04, 2023 03:00 PM 

છેલ્લા સમયથી નાનીવયે હદયરોગના હુમલાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી, ડોક્ટર સેલ આયોજિત સીપીઆર તાલિમ કેમ્પમાં કેબિનેટમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શહેર-જિલ્લાના શિક્ષકો તાલિમબધ્ધ બન્યા હતા.


ભારતીય જનતા પાર્ટી, ભાવનગરના ડોક્ટર સેલ દ્વારા નર્સિંગ કોલેજ ભાવનગર ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ જીલ્લા શિક્ષણ પરીવાર દ્વારા આયોજીત તેમજ આઈએસએ ગુજરાત અને ભાવનગર મેડિકલ કોલેજના સહયોગથી ભાવનગર શહેર અને જીલ્લાના શિક્ષકો માટે સીપીઆર તાલીમ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.


રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલી તાલિમમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શીશીરભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર ઝોન ડૉકટર સેલના સભ્ય ડૉ. પરેશભાઈ સોલંકી, ભાવનગર ડૉકટર સેલના કન્વીનર ડૉ. દેવાંગભાઈ દેસાઈ, સહ-કન્વીનર ડૉ. હિરલભાઈ દાણી સહિત અન્ય હોદ્દેદારો સહિતનાઓની ઉપસ્થિતિમાં શિક્ષકો તાલિમબધ્ધ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application