શાપર ઢોલરા રોડ પર સોમવાર સવારે મંગલ આર્યન નામના કારખાનામાં આગની ઘટના બની હતી.આ ઘટના બાદ એક શ્રમિક ભેદી રીતે લાપતા હોય જેથી સીસીટીવી ફૂટેજ ચકાસતા તેણે જ આગ લાગાવી હોવાનું માલુમ પડયું હતું.બાદમાં તેને રેલવે સ્ટેશનથી ઝડપી લઇ કારખાનેદારે પોલીસના હવાલે કર્યો હતો.આ શખસની પુછતાછ કરતા તેણે એવી વિચિત્ર કબુલાત આપી હતી કે માતાજીએ મારા શરીરમાં પ્રવેશી મને આગ કારખાનામાં આગ લગાવવાનું કહેતા મેં કાંડી ચાંપી દીધી હતી.
આગની આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ધર્મજીવન મેઈન રોડ પર સ્વસ્તિક બિલ્ડીંગમાં રહેતાં અને શાપરમાં ઢોલરા રોડ ઉપર આવેલ મંગલ આર્યન પ્રાઈવેટલિમિટેડ નામની કંપ્નીમાં ભાગીદારી ધરાવતાં હાર્દિકભાઈ જેન્તીભાઈ ઠુંમર (ઉ.વ.32)એ પ્રદીપ નાગેન્દ્રભાઈ પ્રધાન (રહે. હાલ શાપર,મૂળ પ.બંગાળ) સામે તેની કંપ્નીના સ્ટોર રૂમમાં દિવાસળી વડે આગ લગાડી નુકસાન કયર્નિી શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કારખેનાદારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે આજે સવારે તેની કંપ્નીમાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંગે તેના પાર્ટનર ઋત્વજભાઈએ કરતા તે ત્યાં પહોંચ્યા હતા. જયાં ફાયર બ્રિગેડના સ્ટાફે આગને કાબુમાં લેવાનું શરૂ કરી દીધું હતું. સ્ટોર રૂમમાં મોટી આગ લાગી હોય આગ બુઝાયા બાદ તપાસ કરતાં લાખોની નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કંપ્નીના કર્મચારીઓની પુછપરછ કરતાં આરોપી પ્રદીપ કયાંય જોવા નહીં મળતા અને તે રેલ્વે સ્ટેશને હોવાની જાણ કરતાં ત્યાં પહોંચી તેને કંપ્નીએ લાવી સીસીટીવી ફૂટેજ જોતાં આરોપીએ આગ લગાડયાનું દેખાયું હતું. જેથી તેને પોલીસને સોંપાવામાં આવ્યો હતો.આ અંગે કારખાનેદારની ફરિયાદ પરથી શાપર પોલીસે આરોપી સામે કારખાનામાં આગ લગાવી અંદાજિત આઠથી દશ લાખનું નુકશાન કયર્િ અંગે ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે એ.એસ.આઇ બી.સી.સોલંકી તથા સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીની પુછતાછ કરતા તેણે એવી વિચિત્ર કબુલાત આપી હતી કે, તેના શરીરમાં માતાજી પ્રવેશ્યા હતાં અને તેણે આગ લગાવવાનું કહેતા તેણે કારખાનામાં આગ લગાડી હતી.આરોપીએ કરેલી કબુલાત સાચી છે કે કેમ? તે અંગે પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:00 PMકોંગ્રેસ-આપ વચ્ચે પડ્યા ફાંટા, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે...
July 04, 2024 02:56 PMઉપલેટા બાદ રાજકોટમાં નોંધાયો કોલેરાનો કેસ, પાણીના લેવાયા નમૂના
July 04, 2024 02:55 PMરાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના ધામા, એક અધિકારીની પૂછપરછની ચર્ચા
July 04, 2024 02:52 PMહેમંત સોરેન 7મી જુલાઈએ શુભ મુહૂર્તમાં સીએમ તરીકે લેશે શપથ
July 04, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech