સામપરના ૭૦ વર્ષના બુઝુર્ગનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આપઘાત

  • May 17, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના શામપર ગામમાં રહેતા ૭૦ વર્ષના બુઝુર્ગે પોતાની પેટની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા પી લીધી હતી, ત્યારબાદ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જોડિયાના સામપર ગામમાં રહેતા જયંતીભારથી અમર ભારથી ગોસાઈ નામના ૭૦ વર્ષના બાવાજી જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓએ તાજેતરમાં પથરી નું ઓપરેશન કરાવ્યું હતું, જેનો પેટનો અસહય દુખાવો રહેતો હોવાથી તે દુખાવાની બીમારીના કારણે પોતાના ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી, ત્યારબાદ ગામની નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.


આ બનાવ અંગે મૃતકના પુત્ર ઉપેન્દ્રભારથી ઉર્ફે મુન્ના મહારાજ જયંતિભારથી ગોસાઈએ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application