વોટ્સએપ પર હેકર્સ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 90 જેટલાં પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
ઘણઆ લોકોના એકાઉન્ટ હેક થયા હોવાનું મેટાએ સ્વીકાર્યું છે.
સાયબર હુમલામાં પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેર
મેટાએ આરોપ લગાવ્યો છે કે, આ સાયબર હુમલામાં પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેર, જેને ગ્રેફાઇટ કહેવાય છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વોટ્સએપના માલિક મેટાએ જણાવ્યું હતું કે, લગભગ 90 લોકો આ સાયબર હુમલાનો ભોગ બન્યા છે. જેમાં પત્રકારો અને અનેક અગ્રણી હસ્તીઓ હોવાનું કહેવાય છે. જોકે, તેમની વિગતો જાહેર કરવામાં આવી નથી. સાયબર હુમલાખોરો તેમને શિકાર બનાવ્યા અને સંભવતઃ તેમના ડેટા સાથે ચેડા કર્યા હોવાની જાણકારી સામે આવી છે.
20 અલગ-અલગ દેશોના લોકો સામેલ
મેટાએ પુષ્ટિ કરતાં કહ્યું કે હુમલાખોરોએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. તેમાં ઘણા પત્રકારો અને અગ્રણી હસ્તીઓ સામેલ છે. કંપનીએ સ્વીકાર્યું કે આ લોકો 20 અલગ-અલગ દેશોમાંથી હતા.
આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાંથી મળી
પેરાગોન સોલ્યુશનમાંથી ગ્રેફાઇટ ખરેખર ઝીરો ક્લિક ટેકનિક પર કામ કરે છે. જેનો અર્થ એ છે કે, તે ક્લિક કર્યા વિના ડિવાઈઝને એક્સેસ કરી શકે છે અને ડેટા હેક કરવાની ક્ષમતા ધરાવે છે. મોબાઇલ માલિકને આ હેકિંગ વિશે કોઈ ખબર પડતી નથી. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાંથી મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુદામાનગરી પોરબંદરથી કૃષ્ણનગરી દ્વારિકા સુધીની યોજાશે પદયાત્રા
April 16, 2025 02:20 PMજામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક ધરાનગર વિસ્તાર પાસે ટ્રેનની અડફેટે એક યુવાનનું મોત
April 16, 2025 02:08 PMજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech