જામનગર જિલ્લામાં દરીયાકાંઠે ચેરનાં ૯ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

  • March 15, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોસ્ટલ ક્લાયમેટ રેસીલીયન્સ પ્રોજેક્ટ: આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયા તથા એચડીએફસી બેંક પરિવર્તન દ્વારા પર્યાવરણલક્ષી અભિયાન

આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયા (એ.કે.એ.એચ. ઇન્ડીયા) તથા એચડીએફસી બેંક પરિવર્તન દ્વારા જામનગર જિલ્લાનાં દરીયાકાંઠે જળવાયુ પરિવર્તનને અનુલક્ષીને પકોસ્ટલ ક્લાયમેટ રેસીલીયન્સ પ્રોજેક્ટથ અંતર્ગત ૧૫ ગ્રામ્ય વિસ્તારમાં ચેરનાં લાખો વૃક્ષોનું વાવેતરનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જોડીયા તાલુકાનાં ૧૦ ગામ તથા જામનગર તાલુકાનાં ૫ ગામ સહિત દરીયાકાંડાનાં કુલ ૧૫ ગામમાં ચેરનાં ૯ લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. મિયાવાકી પદ્ધતિથી ૨ લાખ વૃક્ષ ઉછેરવામાં આવશે તેમજ ચેરનાં વૃક્ષોની વૃદ્ધી અને મૂલ્યાંકન માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇ.ઓ.ટી.) સેન્ટર પણ કાર્યરત થશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સમાવાયેલા ૧૫ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૫૦ સોલાર સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવશે. ગ્રામ્ય સ્તરની જૈવવિવિધતા સમિતિઓની સ્થાપના કરી સરકારી તથા ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને સામેલ કરી દરીયાકાંઠાનાં વ્યવસ્થાપન પદ્ધતિ અને વ્યવહારમાં ઇકોસિસ્ટમ આધારીત અનુકૂલનને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયાનાં સીઇઓ પ્રેરણા લાંગાનાં જણાવ્યાનુસાર એચડીએફસી બેંક પરિવર્તન સાથેનો કોસ્ટલ ક્લાયમેટ રેસીલીયન્સ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણની જરૂરિયાત નથી પરંતુ દરીયાકાંઠાની સ્થિતિસ્થાપકતાનાં નિર્માણ પ્રત્યે આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયાની પ્રતિબદ્ધતાનો દ્યોતક પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application