એલસીબીનો દરોડો : સવા લાખની રોકડ સહિત 8.65 લાખનો મુદામાલ કબ્જે
જામનગરના સુભાષ બ્રીજ નીચે આવેલી ગઢવી ટ્રાન્સ્પોર્ટની ઓફીસમાં બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી ટ્રાન્સપોર્ટના ધાંધાર્થી, વેપારીઓ સહિત નવ શખ્સોને સવા લાખની રોકડ મળી રૂ. 8.65 લાખના મુદામાલ સાથે પકડી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીની સુચનાથી પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી અને સ્ટાફ દારૂ, જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા, એલસીબી સ્ટાફના અરજણભાઇ, કિશોરભાઇ, કલ્પેશભાઇ તથા ધર્મેન્દ્રસિંહને ખાનગી રાહે મળેલ હકીકત આધારે જામનગરના વિકટોરીયા પુલ નીચે આવેલ જગદીશભાઇ લાંબાની ગઢવી ટ્રાન્સપોર્ટની ઓફીસમાં પહેલા માળે બહારથી માણસો બોલાવી તિનપતી જુગારનો અખાડો ચાલે છે, નાલ ઉઘરાવીને જુગાર રમાડવામાં આવે છે.
આ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી, તિનપતીનો જુગાર રમતા જામનગરના ગોલ્ડનનેસ્ટ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 301માં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જગદીશ લાભુ લાંબા-ગઢવી, ગોલ્ડનનેસ્ટ એપાર્ટમેન્ટ બ્લોક 301માં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી રમેશ લાભુ લાંબા, લંઘાવાડના ઢાળીય રહેતા ફારૂક હુશેન ઓડીયા, પંચવટી સોસાયટીમાં રહેતા વેપારી સંતોષ બિહારીલાલ પરીયાણી, દિ.પ્લોટ 17માં રહેતા વેપારી સુભાષ લીલારામ ચાવલીયા, નંદનવન સોસાયટી, પીંજારાવાસમાં રહેતા જાવેદ આમદ માંઢાત, શરૂ સેકશન રોડ, ફેન્સ એપાર્ટમેન્ટ બ્લોક નં. 101માં રહેતા વેપારી મનોજ રાજપાલ ખેતવાણી, સાધના કોલોનીમાં રહેતા વેપારી જેઠાનંદ ધનુમલ આલવાણી અને વાલબાઇ મસ્જીદ સામે રહેતા ફીરોજ હારૂન ઓડીયાની અટકાયત કરવામાં આવી હતી.
દરોડા દરમ્યાન 1.25.350ની રોકડ, 8 મોબાઇલ, 1 કાર તથા 5 મોટરસાયકલ મળી કુલ 8.65.850નો મુદામાલ કબ્જે કર્યો હતો, તમામની સામે સીટી-બી ડીવીઝનમાંં જુગારધારા મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, દરોડાના પગલે ચકચાર મચી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech