સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 17 થી ત્રણ દિવસ માટે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એક જ વર્ષમાં બે વખત યુવક મહોત્સવ યોજવામાં આવતા અને મોટાભાગની કોલેજના સંચાલકો એડમિશનની તથા એનરોલમેન્ટની પ્રક્રિયામાં ગળાડૂબ હોવાથી યુનિવર્સિટી સલગ્ન 235 કોલેજમાંથી માત્ર 82 કોલેજના વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં ભાગ લીધો છે.
જીકાસ પોર્ટલ પર એડમિશનની નવી સિસ્ટમના કારણે આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંખ્યાબંધ કોલેજોમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે અને સંખ્યાબંધ બેઠકો ખાલી છે. આ બાબતની અસર યુવક મહોત્સવની એન્ટ્રીમાં જોવા મળે છે. 33 અલગ અલગ સ્પધર્ઓિ રાખવામાં આવી છે અને એન્ટ્રીની કુલ સંખ્યા 867 છે. સૌથી વધુ રસ પ્રાચીન રાસ અને ગ્રુપ પર્ફોર્મન્સમાં રહ્યો છે. જ્યારે લોકવાદ્ય સ્પધર્મિાં એક પણ એન્ટ્રી મળી નથી.
તારીખ 17 ના સવારે 10:30 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા કાનજી ભુટા બારોટ રંગમંચ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે. તારીખ 19 ના રોજ યુવક મહોત્સવનું સમાપ્ન રાખવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેની તૈયારીઓ ચાલી રહી છે. યુવક મહોત્સવ શરૂ થવા આડે હવે એક સપ્તાહ જેટલો સમય બાકી હોવાથી નિણર્યિકોની નિમણૂક, ભોજન વ્યવસ્થા, મંડપ, ડેકોરેશન વગેરે કામગીરીમાં યુનિવર્સિટીનું તંત્ર લાગી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech