જામનગરમાં શ્યામનગરમાં રહેણાક મકાનમાંથી ૮૦ નંગ બિયરના ટીન પકડાયા

  • June 04, 2024 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપીની અટકાયત


જામનગરમાં ગોકુલનગર નજીક શ્યામનગર વિસ્તારમાં એલ.સી.બી. ની ટુકડીએ એક મકાન પર દરોડો પાડી ૮૦ નંગ બિયરનો જથ્થો પકડી પાડ્યો છે, અને એક આરોપીની અટકાયત કરી છે.


જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ગોકુલનગર નજીક શ્યામનગર શેરી નંબર પાંચ માં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, તે દરોડા દરમિયાન મકાનમાંથી ૮૦ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.


પોલીસે રૂપિયા ૮,૦૦૦ ની કિંમત ના બિયરના ટીનનો જથ્થો અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા ૨૮,૦૦૦ ની માલમત્તા કબજે કરી લીધી છે, અને આરોપી દિવ્યરાજસિંહ વનરાજસિંહ જાડેજા ની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application