પોઇચા નજીક નર્મદામાં ૮ પ્રવાસીઓ ડૂબ્યા

  • May 14, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચણોદ નજીક પોઇચા ખાતે નર્મદા નદીમાં ન્હાવા જતા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની હતા અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક ખલાસીઓએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ ડૂબતા લોકોમાંથી એક વ્યકિતને બચાવી લીધી છે. આ લોકોને બચાવવા માટે રાજપીપળા ટાઉન પોલીસ અને રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાયટર પોઇચા પહોંચી ગયા છે. હાલ નર્મદા નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ સુરતના કેટલાક લોકો તેમના વાહનમાં પોઇચા આવ્યા હતા. યાં કેટલાક પરિવારના સભ્યો કાંઠે બેઠા હતા અને આઠ જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબી ગયા હતા. યારે સ્થાનિક ખલાસીઓને ખબર પડી કે આ લોકો ડૂબી રહ્યા છે ત્યારે તેઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યેા. જેમાં એક વ્યકિતનો જીવ બચાવવામાં સ્થાનિકોને સફળતા મળી હતી.

આ કણ અકસ્માતમાં ૧૫ થી ૧૭ વર્ષની વયના ત્રણ કિશોરોનો પણ છે.આ લોકોની સાથે રહેલા પરિવારના બાકીના સભ્યો રોષે ભરાયા છે. હાલમાં રાજપીપળા ટાઉન પોલીસની વિવિધ ટીમો અને રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો સ્થાનિક લોકો સાથે ડૂબી ગયેલા લોકોને શોધી રહ્યા છે.ચણોદ ગામ અને પોઇચણી વચ્ચેની નર્મદા નદી ખૂબ જ ઐંડી છે. જયાં તત્રં દ્રારા પ્રવાસીઓને નદી કિનારે બેસીને નદીમાં વધુ ઐંડા ન જવાની અનેક સૂચનાઓ પણ આપવામાં આવે છે.પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી બાબતોની અવગણના કરે છે અને આવી દુ:ખદ ઘટનાઓ બને છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application