ગુજરાતના અન્ય મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણના ભેજનું પ્રમાણ સરેરાશ 40% આસપાસ રહ્યું છે. પરંતુ દરિયાકાંઠાના વિસ્તાર દ્વારકા વેરાવળ દમણ સુરતમાં તે વધીને ૮૫ ટકા સુધી પહોંચી ગયું છે. વેરાવળમાં આજે 50 દ્વારકામાં 85 દમણમાં 74 અને સુરતમાં 76 ટકા ભેજ નોંધાયો છે. જોકે પોરબંદરમાં ભેજનું પ્રમાણ 42% રહેવા પામ્યું છે.
ભેજવાળા વાતાવરણની સાથો સાથ ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે. પોરબંદરમાં 35.1 વેરાવળમાં 33.9 કંડલામાં 36.8 નલિયામાં 37.2 ઓખામાં 31 ભુજમાં 36.2 ભાવનગરમાં 34.7 અમરેલીમાં 37.9 ડિગ્રી મહત્તમ તાપમાન સોમવારે નોંધાયું હતું, ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 21 સુધી આવું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરસવ, સૂર્યમુખી, મગફળીના તેલના ભાવ વધારાથી ફુગાવો વધવાની ભીતિ
March 21, 2025 10:20 AMગુજરાત હાઈકોર્ટે 'શંકાસ્પદ' અધિકારીઓની યાદી જાહેર કરવાના આદેશ પર રોક લગાવી
March 21, 2025 10:19 AMબાળ હિન્દુ સેના દ્વારા હનુમાનચાલીસાના પાઠ સાથે થયા સંકલ્પબધ્ધ
March 21, 2025 10:16 AMઆંતરરાષ્ટ્રીય કોલ્સ વધુ મોંઘા કરવાની તૈયારીઓ
March 21, 2025 10:12 AMદીકરીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અને કારકિર્દીમાં પ્રગતિ કરી
March 21, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech