વિશ્ર્વના ૭૫ ટકા વાઘ ભારતમાં, એક દાયકામાં થયો વધાર

  • February 04, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતમાં વાઘની વસ્તી વિશ્વની કુલ વાઘની વસ્તીના ૭૫ ટકા સુધી પહોંચી ગઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અંદાજ મુજબ, વાઘની સંખ્યા ૨૦૧૦માં ૧,૭૦૬ વાઘથી વધીને ૨૦૨૨માં લગભગ ૩,૬૮૨ થઈ ગઈ છે, જે વૈશ્વિક વાઘની વસ્તીના લગભગ ૭૫ ટકા છે. આ સફળતા ભારતમાં વાઘને શિકાર અને વસવાટના વિનાશથી બચાવવા અને માનવ–વન્યજીવ સંઘર્ષને ઘટાડીને હાંસલ કરવામાં આવી છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધનમાં બેંગલુમાં ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીમાં વરિ વૈજ્ઞાનિક અને પ્રમુખ સંશોધક યાદવેન્દ્ર દેવ ઝાલાનું કહેવું છે કે સામાન્ય માન્યતા એ છે કે માનવ ઘનતા વાઘની વસ્તીમાં વધારો અટકાવે છે. સંશોધન દર્શાવે છે કે તે માનવ ઘનતા નથી પરંતુ લોકોનું વલણ છે, જે વધુ મહત્વનું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application